________________
૨૭૫
મગધ દેશનો માગધ, માલવા દેશનો માલવક, મહારાષ્ટ્રમાં જન્મેલો મહારાષ્ટ્રીય, સુરાષ્ઠ (કાઠિયાવાડ)માં જન્મેલ, સૌરાષ્ટ્રક કહેવાય છે. આ બધા નામો ક્ષેત્રજન્મ છે.
નોંધ :- છતાં આ બધા ય પ્રાન્તો ભ૨ત દેશના હોવાથી, પ્રાન્તોના નામે, ભાષાના નામે, સપ્રદાયના નામે આપશમાં લડવું. ઝઘડવું તે દેશદ્રોહનું લક્ષણ છે. પ૨સ્તુ ભારતદેશની મોટામાં મોટી કરુણતા આટલી જ છે કે ધર્મના નામે ઝઘડા, મઠવાસીઓના ઝઘડાઓના અભશાપ, દેશના રાજાઓમાં, શ્રીમંતોમાં પણ વૈરઝેરના બી રોપાયા છે. ફળસ્વરૂપે જે દેશમાં મહાવીરસ્વામી, બુદ્ધ અને છેવટે મહાત્મા ગાંધી જમ્યા તે દેશ આજે સત્યધર્મ, બ્રહ્મચર્યધર્મ, તેમ જ આર્થિક દૃષ્ટિએ પણ પાયમાલ થયો છે.
આ પ્રમાણે ઐરાવત, હેમવંત, હરિવર્ષ, ૨મ્ય, દેવકુર અને ઉત્તરકુરમાં જન્મેલા તે તે દેશના કહેવાશે.
કાળ સંયોગ :- સુષમસુષમ, સુષમ, શુષમદુષમ, દુષમ-સુષમ દુષમ અને દુષમદુષમ કાળમાં જન્મેલા, તથા વર્ષા, વસંત, હેમન્ત, શરદ અને ગ્રીષ્મ ઋતુમાં જન્મેલા તે તે કાળના અને ઋતુનો કહેવાશે.
ભાવ સંયોગ :- પ્રશસ્ત અને અપ્રશન્ત રૂપે બે ભેદ છે. દર્શન, જ્ઞાન અને ચા૨ત્રાદે પ્રશસ્તભાવ હોવાથી,