________________
૧૫૬
રાખનાર શિષ્ય તેમની આજ્ઞાથી ક્યારે ય બહા૨ જતો નથી. જ્ઞાનના સાગ૨ ગુરૂ કઈ વાત, કેવી રીતે અને કયા સમયે કહેશે તેની ખબ૨ પડતી નથી માટે, ગુરૂ કુળવાસી શિષ્ય જ સમ્યજ્ઞાનને વધા૨શે અને પોતાનું ચારિત્ર દેદીપ્યમાન બનાવશે. સારાંશ કે શ્રુતજ્ઞાનની પ્રર્યાપ્ત ગુરૂ આધીન છે.
આ પ્રમાણે ભાવોપક્રમને બતાવ્યા પછી અને લૌકિક ષ્ટિએ તેની વ્યાખ્યા કર્યા પછી હવે શાસ્ત્રીય ઉપક્રમ આ પ્રમાણે છે.
શાસ્ત્રીય ઉપક્રમ :
અવાનવવામે વિષે પળત્તે (બ્લ્યૂ. ૭૧)
પ્રશસ્ત ગુરૂ ભાવોપક્રમને પ્રકારાન્ત એટલે શાસ્ત્રીય પતિએ છ પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધકા૨ અને સમવતાર. આ છએની શબ્દ વ્યુત્પúત્ત આદિ સ્વરૂપ આગળ કહેવાશે. તેમાં સૌથી પ્રથમ આનુપૂર્વીનું સ્વરૂપ કહે છે.
से किं तं आणुपूव्वी ? दसविहा पण्णत्ता, तंजहा
આનુપૂર્વી એટલે અનુક્રમે એક પછી એકની સ્થાપના ક૨વી. તેને આનુપૂર્વી કહેવાય છે. અનુક્રમ, અનુરિપાટી અને આનુપૂર્વી આ ત્રણે પર્યાયો છે.