________________
૮૪
ચજહૃદય ભાગ-૫ કાંઈ શબ્દ થોડા છે, વાસ્તવિક્તાની વાત છે.
મુમુક્ષુ :- વાગ્ટના રૂપમાં આ ન્યાય આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી - એમ છે. એ વગર એ દોષોમાંથી નિવૃત્તિ થવાની પર્યાયમાં કોઈ યોગ્યતા આવે જ નહિ. આવી શકે જ નહિ. એ તો જામી ગયેલો કાટ છે. એના માટે એના Solution અને Acid ને જે જેટલી દવાઓ નાખવી પડે એટલી નાખીને કાઢવું પડે. અનંત કાળથી એ બધું જમાવેલું છે, સહજ થઈ પડ્યું છે.
મુમુક્ષુ :- આ ભૂમિકામાં કોઈ જીવ આવે તો પરદોષ જોવાનું જ ન થાય.
પૂજ્ય ભાઈશ્રી - એને બીજાના દોષ દેખવાની માથાકૂટમાં ઊતરે જ શું કરવા ? મારે શુદ્ધ થવા માટે હું નવરો થઈ શકે એવું નથી તો બીજાનું ક્યાં હું જોઉં. મારું તો પહેલાં કાઠું, મારી સાર્ી કરવામાંથી જ હું નવરો થયો નથી.
મુમુક્ષુ :- વકીલાતનું બધું ભણ્યા પછી ચોરી કરી એવું થયું પૂજ્ય ભાઈશ્રી - એના જેવું થઈ જાય પછી, એના જેવું થઈ જાય. મુમુક્ષુ :- શાસ્ત્ર વાંચીને એ
પૂજ્ય ભાઈશ્રી - શાસ્ત્ર વાંચનારની તો ઔર જવાબદારી છે, વધારે જવાબદારી છે.