________________
૩૯૪
પત્રાંક - ૩૫૮
રાજહૃદય ભાગ-૫
મુંબઈ, ચૈત્ર વદ ૫, ૨તિ, ૧૯૪૮
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ શાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. વિચારસાગર’ અનુક્રમે પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે.
માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્જેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે.
જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી. જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો.. આત્મા તેવો નથી.
૩૫૮. જ્ગત કે અભિપ્રાયકી ઓર દેખકર જીવને પદાર્થંકા બોધ પાયા હૈ, જ્ઞાનીકે અભિપ્રાયકી ઓર દેખકર પાયા નહીં હૈ. જિસ જીવને જ્ઞાનીકે અભિપ્રાય સે બૌધ પાયા હૈ ઉસ જીવકો સમ્યગ્દર્શન હોતા હૈ.’ ઉસ જીવકો મોક્ષમાર્ગકી પ્રાપ્તિ હોતી હૈ, યે બાત શાસ્ત્રમેં ઢુંઢને જાતે તો મિલે નહીં ઐસી બાત હૈ. ધર્માત્માઓં