________________
૨૫૬
ચજહૃદય ભાગ-૫ બિચારા એ તો દયાને પાત્ર છે. એની નિંદા શું કરવી ? એ તો એની નિંદા કરવી એ તો અનુકંપનો ત્યાગ કરવા જેવું છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી.” જુઓ કળિયુગમાં એટલે આ કાળમાં. “અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે; આ વાતનો ખુલાસો પછી થશેલગભગ જીવ ખોટે રસ્તે દોરાય જાય. ભાગ્યે જ કોઈ બચી શકે એવો આ કાળ છે. ભૂલ થતા વાર ન લાગે. એટલે એણે પોતે હું કાંઈ જ સમજતો નથી. એકાંત જિજ્ઞાસામાં ઊભો રહી જાય. અને એ રીતે એ સત્સમાગમ કરે તો બચી શકે, નહિતર બચવું બહુ મુશ્કેલ છે. ૩૩૦ (પત્ર પૂરો) થયો.
પત્રક - ૩૩૧
મુંબઈ, માહ, ૧૯૪૮
તે વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.
ભાતિગતપણે સખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને ? આ પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું જ
સ્વરૂપ ભોસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાસ્ય પણ તથા રૂપપણે છે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ આ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે તે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે તે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.