________________
પત્રાંક - ૩૨૮
મુંબઈ, માહ વદ ૦)), રવિ, ૧૯૪૮ - લેવેક ન રહી ઠોર, ત્યાગીવેકીં નાહીં ઓર,
બાકી કહા ઉબર્યો , કારજ નવીનો હૈ”. | સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું એટલે હવે બીજું
કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે - ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં, અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ
છે, ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું છે નહીં હવે જ્યારે લેવું. દેવું એ બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું
કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત જેમ થવું જોઈએ છે તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય ? એટલે કે
કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ.
તા. ૨૯૧૧-૧૯૮૯, પ્રવચન . ૯૨
પત્રક – ૩૨૮ અને ૩૨૯
પત્ર-૩૨૮, પાનું ૩૧૬. બનારસીદાસજી'ના પદની એક કડીનો અર્થ કરેલો છે. ૩૨૫ માં જે પદ જ્ઞાનીની અદ્ભુત દાનનું) ટાંક્યું છે, એમાંથી એક કડીનો અહીંયાં પોતે અર્થ કરે છે. સોભાગભાઈને પત્ર લખે. એ પદનો અર્થનો પુછાવેલો. સોભાગભાઈનો એ કાવ્યનો અર્થ યથાર્થ લાગ્યો છે. પોતે પણ હવે અર્થ કરે છે