________________
(૩૪)
શંકાનું સમાધાન કરે છે:
विषयेभ्यः परावृत्तिः परमोपरतिर्हि सा । सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ||७|| વિષયેમ્ય: પાવૃત્તિ:=વિષયોમાંથી પાછા વળવું (આસક્તિરહિત થવું) સા પરમા ૩પતિ:-તે ઉત્તમ ઉપરતિ કહેવાય છે. સહનમ્ સર્વ દુઃવાનામ્=સર્વ પ્રકારનાં દુ:ખ સહન કરવાની શક્તિને સા ગુના તિતિક્ષા મતા=સારી (શ્રેષ્ઠ) તિતિક્ષા કહેવાય છે. ઉપરતિ:વિષયોની વ્યર્થતા વર્તાય, જગતની ક્ષણભંગુરતા સમજાય, ભોગની ભ્રાંતિ પકડાય; વિવેકથી સંસારનું મિથ્યાત્વ મનાય તો મન ઉપરામ થાય છે. ધર્મ, અર્થ અને કામથી અંતે માત્ર પ્રયત્ન આદરે છે પરમ પુરુષાર્થ મોક્ષ માટે. જે મનને વિષય કે ભોગ માટેની ઇચ્છા, વાસના કે અપેક્ષા જ નથી તે ઉપરિત છે.
આ તો
આવી રીતે ‘વિષય: પાવૃત્તિઃ”વિષયો તરફ પૂંઠ કરીને ઊભા રહેવું, મુખ મોડી લેવું કે જ્ઞાન દ્વારા તેની ઉપેક્ષા કરવી તે જ મનની ઉપરામ દશા છે. એક વાર આવું મન વિષયોથી અનાસક્ત થાય છે તે કદી ફરી વિષયાભિમુખ થતું નથી. અને જેમ એક વાર સર્પ પોતાની કાંચળીનો ત્યાગ કરે છે પછી તે તરફ પાછું વળી તે જોતો પણ નથી. તેવું જ બને છે ઉપરતિને પ્રાપ્ત મનનું. તે કદી વિષય પ્રતિ પ્રવાસ કરતું જ નથી. તેનું લક્ષ્ય તેને સમજાઈ ગયું છે- તે છે માત્ર મુક્તિ મને ઉપરતિને પ્રાપ્ત કરી જ્ઞાનથી. પણ ઘણી વાર ભોગ ભોગવીને પણ મન ભોગથી ઉબાઈ જાય છે; તેને એટલું ધન મળ્યું કે તે ધનથી ગૂંગળામણ અનુભવે છે; એટલી સારવાર- સંભાળ મળે છે કે તેને હવે તે કેદ લાગે છે; એટલી ખ્યાતિ મળી કે પોતે એકલો ક્યાંય ફરી શકે નહીં-ટોળેટોળાં ફરી વળે છે અને પ્રખ્યાતિ સજા બની જાય છે. એટલું બધું જ્યારે માન અને મહત્ત્વ મળે છે ત્યારે પણ તે વ્યક્તિની સુરક્ષા માટે ચોમેર શસ્ત્રધારી પોલીસો ફરતી હોય છે અને જ્યારે ભોગવિલાસ ખૂબ અધિક મળે છે ત્યારે પણ તેનું એક સેચ્યુરેશન પૉઈન્ટ = સંતૃપ્ત બિંદુ (કક્ષા) હોય છે. એક સીમા હોય છે ભોગની પણ. તે આવી ગયા પછી મન આપોઆપ તે વિષયભોગથી વિરામ ચાહે છે- આરામ માગે છે અને તેવી મનની અવસ્થા પણ ઉપરામ જેવી જ છે. આજે તેવી સ્થિતિ અમેરિકાની છે- તેને ધન, વૈભવ અને ભોગના હવે ઊબકા આવે છે. તેઓ પણ