________________
(૮૪)
કોક વિરલા
“તાત નપુંસક માતા તૂત, બેથી દેખી મોટા મોટા ભમે; મોટું અચરજ મોટા લડે; નાસ્તિ તેની માને રડે. બાળક ફોસલાવવાની વાત; મની પુત્રી કાળી રાત. મિથ્યા કહેનારો તું કૂણ ? નિર્ગુણ માંહે ક્યાંથી ગુણ? મૂળ ગુણ ના, ક્યાં નિર્ગુણ? ભૂત નહીં ત્યાં ભૂવો ફૂગ ?' જ્યાં મૂળ જ નથી શાખા (ડાળી) કેવી? જે સંસાર જ નથી તો સંસારી (જીવ) કેવો? અને સંસારના સર્જનહારની ભ્રાંતિ ક્યાં? કેવી? જે સંસાર ખરેખર છે જ નહીં તેની મા કેવી? જેની મા’ નથી તેના રડનારા કેવા ? કેવું ગહન સત્ય સરળ ભાષામાં “નાસ્તિ -- અસ્તિ તેની માને રડે.” આ તો બાળક બુદ્ધિવાળા, અપરિપક્વ, મંદમતિવાળાને ફોસલાવવા માટે જ જ્ગત, તેનો રચયિતા, ઈશ્વર અને જગતમાં રહેનાર જીવ તેવી રચના છે. જ્ઞાનમાં નથી કોઈ રચયિતા નથી કોઈ રચના, નથી કોઈ જીવ કે જે બને શિવ; નથી સંસાર કે કોઈ તેને તરે ને કોઈ તેમાં ડૂબે; ને મારા જેવો કિનારે રાહ જુએ! જે છે જ નહીં તે મિથ્યા પણ નથી જ. જે એક અદ્વિતીય છે, જ્યાં બીજો નથી ત્યાં આ સત્ છે, તેમ કહેનાર પણ નથી જ.
માટે જ ‘વિવેક ભગવાને ઉચ્ચારી છે
ઉપજ્યું
મોટું ભૂત.
અંદર રમે.
જ્યાં કાર્ય જ નથી કારણ ક્યાં ? રચના જ નથી રચયિતા કેવો ?
જ્ગત નથી તો ઈશ્વર ક્યાં?
ભૂત નહીં ત્યાં ભૂવો કૂણ?
ચૂડામણિ'માં અંતિમ સત્યની અગમ્ય વાણી શંકરાચાર્ય
“પારમાર્થિક સત્યમાં વાસ્તવિકતામાં નથી કોઈનો નાશ કે ઉત્પત્તિ, નથી કોઈ બદ્ધ કે કોઈ મુક્ત, નથી કોઈ મુમુક્ષુ કે ન સાધક.
न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधक: ।
न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ॥ ५७५ ॥ "