________________
(૧૯૭)
માયા વંચિતઃ નર = જે પુરુષ માયાથી ગાયલો હોય તે જ દ પતિ નાનાવિં= આ બ્રહ્મમાં નાનાત્વ =ભેદ જુએ છે. સઃ કૃત્યોઃ મૃત્યુ તિ- તે પુરુષ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં
પ્રવેશે છે. રોષ: જિ= બ્રહ્મમાં ભદદર્શન જ દોષ છે. કૃત્ય વિદિત કૃતિએ =ઉપનિષદ [ભદદર્શન દોષ છે તેમ સ્વીકારેલ
શ્રુતિના સાર જેવો, વેદના રહસ્ય જેવી, શાસ્ત્રના સૂક્ષ્મ સંત જેવી શર્કરાચાર્યજીની આ અમર સહજ ઘોષણા છે તેને શ્રુતિનો સાથ છે; બૃહદારણ્યક ઉપનિષદમાં ૪-૪-૧૯માં કહ્યું છે કે
"मनसैवानुद्रष्टव्यं नेह नानास्ति किंचन। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥
[જે આ બ્રહ્મમાં ભેદ જુએ છે તે મૃત્યુ દ્વારા મૃત્યુને જ પામે છે) અને તે જ વિચાર કઠોપનિષદમાં પણ છે.
मनसैवेदमाप्तव्यम् नेह नानास्ति किंचन।
मृत्योः स मृत्युं गच्छति य इह नानेव पश्यति॥ [જે બ્રહ્મમાં નાનાત્વ=ભેદ જુએ છે તે મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં અર્થાત્ જન્મ-મૃત્યુના ચક્યાં જ પ્રવેશે છે.].
જે વ્યક્તિ માયાથી ઠગાયેલ છે તે જ બ્રહ્મમાં ભેદ જુએ છે. “માયા વંતિઃ ઃ : ૪ પતિ નત્વિ' અને જેને જેને ભેદ દશ્ય છે, જુદાઈ ભાસે છે, અનેકતા દશ્ય છે તેને જ ભય પ્રાપ્ત થાય છે. શ્રુતિ કહે છે કે ભેદમાં જ ભય છે. જ્યાં બીજુ નથી, અન્ય નથી, ત્યાં ભય નથી. “દિતીયા મયં મસિ' જ્યાં ભેદ છે, બીજો છે ત્યાં જ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે મોહ છે. માટે જ તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. અને પ્રાપ્ત જે કાંઈ થાય તેના રક્ષણની ચિંતા થાય છે. કારણ કે પ્રાપ્ત થયેલામાં આસક્તિ બંધાય છે અને જેમાં જેમાં આસક્તિ છે તેના વિયોગથી શોક પણ થાય છે. આમ શોક અને મોહ બન્ને ભેદ છે માટે જ પેદા થાય છે. જ્યાં ભેદ નથી ત્યાં એકત્વદર્શન છે. અને