________________
(૨૩૮)
થતાં, વ્યક્તિનો વિરાટમાં અને વ્યષ્ટિનો સમષ્ટિમાં વિલય થતાં, બચે છે માત્ર ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ અને તે બ્રહ્મ જ સર્વ નામ-આકાર-અને જીવોને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તેથી સૌનું અસ્તિત્વ બ્રહ્મને લીધે જ છે તેમ જાણી લેવું જોઇએ. “તત્ જ્ઞેય”
કારણ કે
કાર્યનું, નામ-આકારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
માટી વિના ઘડો
ક્યાં ?
વસ કેવાં?
તંતુ વિના બ્રહ્મ વિના સંસાર ક્યાં ?
માટે જ શ્લોકમાં કહ્યું છે કે “તક્ષ્ણ અમાવત: તત્ જ્ઞેયમ્।” કાર્યના=નામ અને આકારના અભાવથી કારણને જાણી લેવું, અનામીને જોઇ લેવું, આરોપના અપવાદથી તત્ત્વ સમજી લેવું કે નથી જ્ગત બ્રહ્મમાં (અને જો છે તો આરોપ કે અધ્યારોપ છે, જે છે તો ભ્રાંતિ રૂપે છે અને નથી બ્રહ્મ નામ અને આકારમાં અને જો છે તો સત્તા અને સ્ફૂર્તિ પ્રદાનકર્તા તરીકે છે, અધિષ્ઠાન રૂપે છે) તેવું જાણવું અને સમજવું કે
“ન નામ ઉસકા ન રૂપ ઉસકા સભી ઉીંક નવો કિસીકા અનંતરૂપી વો રૂપ એકા બેરૂપરંગા સમા રહા હૈ” -શ્રી રંગ અવધૂત
કર્મમાં જ બ્રહ્મનો મર્મ
જો બધું અભેદ જ છે તો પછી કર્મ પણ બ્રહ્મરૂપ જ છે. અને બ્રહ્મમાં કર્મદર્શન એ બ્રહ્મનાં જ દર્શન છે. અભેદ ભાવે કર્મમાં પ્રવૃત્તિ થતાં બ્રહ્મમાં જ પ્રવેશ થઇ જાય છે.
सर्वोऽपि व्यवहारस्तु ब्रह्मणा क्रियते जनैः ।
अज्ञानान्न विजानन्ति मृदेव हि घटादिकम् ॥ ६५ ॥
તુ=અને
ઘટાલિમ્ મૃત્ વ=માટીથી બનેલ ઘડો અંતે માટી જ છે એવું અજ્ઞાનાત્ ન વિજ્ઞાનન્તિ-અજ્ઞાનથી લોકો જાણતા નથી, તેમ જ સર્વ: વ્યવહાર: અવિસર્વ વ્યવહાર પણ