________________
(૩૬૧)
ત્યાગ
નિદિધ્યાસનનાં અંગોની ચર્ચાવિચારણા કરતાં અંતે સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા આત્મચિંતન કરતાં અનેકતા નષ્ટ થઈ જાય, ભેદ નાબૂદ થાય. જો બીજી વસ્તુ જ નથી તો પછી ત્યાગ શેનો? એ પ્રશ્ન ખૂબ જ સહજ અને સ્વાભાવિક છે. અહીં પણ તત્ત્વના દષ્ટિકોણથી દૃશ્યપ્રપંચના ત્યાગને જ સાચો ત્યાગ કહ્યો છે. જ્યાં સુધી આવો ત્યાગ થતો નથી, ત્યાં સુધી ભૌતિક ત્યાગ ને જ્ઞાનમાં વિશેષ મહત્ત્વ નથી. અને જ્યાં સુધી વૈરાગ્યનો નાગ કરડતો નથી, વિષયો વિષવત્ થતા નથી ત્યાં સુધી વ્યક્તિ જ્ઞાનની અધિકારી થતી નથી.
66
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના
કોટિ
ઉપાયજી”
કરિય
-નિષ્કુળાનંદ
પદાર્થ અને પરમાત્માનો સંગ સાથે ન હોય. પરમાત્મા મળતાં જ પદાર્થો ગુમનામ થઈ જાય છે. અને પદાર્થોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય પછી જ ખરેખર પરમાત્માની યાત્રા શરૂ થાય છે. આમ અહીં વૈરાગ્યવાન અને ત્યાગીને જ બ્રહ્મજ્ઞાનનો અધિકારી માનવામાં આવ્યો છે. માટે જ ત્યાગને મહત્ત્વ આપી કહ્યું છે કે મહાન પુરુષોને પણ ત્યાગ પૂજ્ય છે
त्यागः प्रपञ्चरूपस्य चिदात्मत्वावलोकनात् । त्यागो हि महतां पूज्यः सद्यो मोक्षमयो यतः ॥ १०६ ॥
વિવાત્મત્વસ્ય અવતોજ્નાત્= ચૈતન્યસ્વરૂપ એવા બ્રહ્મનું વારંવાર ચિંતવન કરવાથી પ્રપન્વરૂપસ્ય= પ્રપંચરૂપનો (સહજ) ત્યાગ થાય છે.
યત: મોક્ષમય: સઘ:=આવા ત્યાગથી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે, ત્યા:મહતાં ફ્રિ (અ)પૂન્ય:=માટે મહાન પુરુષો પણ ત્યાગને પૂજે છે. ત્યા:- ત્યાગ એ જીવનની સહજ, સ્વાભાવિક ઘટના છે. છતાં જીવનથી જોજન દૂર રહી છે એ જ મહાન દુર્ઘટના છે. જીવનનો પ્રારંભ ત્યાગથી જ થયો છે અને અંત પણ ત્યાગથી જ થાય છે. આપણે કદી વિચારી શક્યા નથી કે જે માતાએ ગર્ભથી બાળકનો ત્યાગ ન કર્યો હોત તો શું થાત? માતાએ ત્યાગ કર્યો અને પ્રસૂતિ થઈ તે જ છે બાળકની મુક્તિ ગર્ભથી; જ્યાં તેને ઊંધા માથે નવ નવ માસ સુધી, મળ-મૂત્રના સાન્નિધ્યમાં અંધારી કોટડીમાં લટકવું પડયું તે સ્થળથી પ્રસૂતિ દ્વારા તેની મુક્તિ થઈ તેથી જ તેને ડિલિવરી એવું નામ મળ્યું. ડેલિવરન્સ એટલે