________________
(૫૦૦)
રહેશે. અવશિષ્ટ મત મુનિ બાકી રહેશે તે જ (સ્વરૂપ હશે જેને જાણી
તે) મુનિ થઈ જાય છે. અપવાદને સમજવા અર્થાત્ આરોપેલા કારણત્વને નાબૂદ કરવા કેવી વિચારણા જરૂરી છે તેની ઉપર હવે આપણે વિચારીએ. આપણે સમજી ચૂકયા છીએ કે કાર્યમાં જ કારણ વ્યાપ્ત છે, તેનો પ્રથમ વિચાર કરવો “ દિ ન વયેત્ પરત વર્ષ વિત” આ એક મહત્ત્વની વિચાર પ્રક્રિયા છે જેમાં કહ્યું છે કે કાર્યમાં પ્રથમ કારણનાં દર્શન કરવાં, પછી કાર્યનો ઈન્કાર કરવો. કાર્યનો ઈન્કાર કઈ રીતે થાય?
(૧) પ્રથમ તો વિચારવું કે જે કાર્યરૂપે ભાસે છે તે કાર્ય, કારણમાં હોતું જ નથી. માટીને કોઈ નામ કે આકાર નથી. તેથી સ્પષ્ટ થાય છે કે કારણમાં જો કાર્ય છે જ નહીં તેમ છતાં ભાસે છે, તો તે ભ્રાંતિ કે આરોપ છે; વાસ્તવિક નથી. આથી જ નરસિંહ મહેતા જેવા જ્ઞાનીએ કહ્યું, “જાગીને જોઉં તો mત દીસે નહીં, ઊંધમાં અટપટા ભોગ ભાસે.” આમ જે કાઈ જ વાસ્તવિક નથી, તો પછી માટી તેનું કારણ પણ વાસ્તવિક નથી. કાર્યના અભાવમાં આવી રીતે કારણનો પણ અભાવ જ છે. માટીમાં “કારણત્વ' ત્યારે જ હોય જયારે તેમાં કાર્ય હોય. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે જે “કારણત્વને આપણે “અધ્યારોપ કરેલો તેનો અહીં કાર્ય-કારણના અભાવમાં “અપવાદ થઈ જાય છે. અર્થાત્ ‘કાય” અને “કારણ બને સંબંધ આરોપિત છે.
આમ કાર્ય ઉત્પન્ન થયું અને વ્યવહારમાં નષ્ટ પણ થયું અને તેની સાથે કારણના પણ તે જ હાલ થયા અથતું જે શેષ રહ્યું છે તે જ આપણું સ્વરૂપ છે. જેને જાણીને વિચાર કરનાર; ચિંતન કરનાર મુનિ થઈ જાય છે તેમ કહ્યું છે. “મવશિષ્ટ મત મુનિઃ”
(૨) જે કંઈ કાર્ય છે તે નામ અને આકાર માત્ર જ છે. જેમ ધડો અને તેનો આકાર માટી પર આરોપિત છે. ખરેખર તો માટી જ ઘડારૂપે દેખાય છે. ઘડાને પકડતાં માટી જ પકડાય છે, જેની દષ્ટિમાં ઘડો અને માટી ભિન્ન છે તેને જ કર્યું અને કારણ જુદાં દેખાય છે. જ્ઞાનીને તે “ધડો દેખાતો જ નથી અર્થાત તે નામ અને આકારને બાદ કરીને માત્ર માટી જ જુએ છે. અને જે માત્ર માટી જ માટી દેખાય