________________
(૫૦૩)
વિચાર્યા કરવું કે જે જગત દશ્ય છે તેમાંથી નામ અને રૂપ બાદ કરતાં તે ચૈતન્યથી ભિન્ન નથી. તેથી સર્વદશ્ય, સર્વય અને તેનો કણ કે જ્ઞાતા સર્વ બ્રહ્મમય છે. બ્રહ્મથી અતિરિક્ત કંઈ જ નથી.
“બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” -નરસિંહ મહેતા જેને હજુ દેહભાવ છે તેણે તો નિરંતર આવો નિદિધ્યાસનનો અભ્યાસ કરવો. પણ જેની દેહાત્મભાવના નષ્ટ થઈ છે, જેને પ્રપંચની નાબૂદી થયેલી જ છે, જેનામાં સંશય કે વિપર્યય નથી અને જેને વૃતિવિસ્મરણ થયું છે તેને આવા વિચારની જરૂર નથી. કારણ કે તેના માટે તો હવે જીવનનું એક જ સૂત્ર બચી ગયું છે:
ચિન્માત્ર હું મેં એકરસ, મમ કલ્પના યહ દશ્ય હૈ. મેં કલ્પનાસે બાહ્ય હું આશ્ચર્ય છે આશ્ચર્ય હૈ.
[ભાવાનુવાદ-અષ્ટાવક્રગીતા-ભોલેબાબા] “સર્વમેવ વિરામ' આ વાત ગ્રંથને અંતે કહી તેમાં એક સંશય દૂર કરવાનું સૂક્ષ્મ તાત્પર્ય પણ છે. “વેતિ નેતિ દ્વારા જયારે દક્ષપ્રપંચનો નિષેધ થાય છે ત્યારે રખે કોઈ માને કે mત ત્યજાઈ ગયું છે. પણ અધિષ્ઠાનથી અન્ય જગત જેવું કંઈક જરૂર હોવું જોઈએ. જો mત નથી તો તો ત્યજવાનો પ્રશ્ન જ નથી. જ્યારે કોઈ એવું પણ સમજે કે જેમ સર્પ કાંચળીનો ત્યાગ કરે છે તેમ જગતનો ત્યાગ સહજ રીતે થાય છે. પણ આવાં દાંતો માત્ર સમજાવવા શરૂઆતમાં અપાય છે. તેનો કોઈ એવો અર્થ ન કરે કે જેમ સર્પ અને કાંચળી ત્યજાયા છતાં જુદા છે; તેવી જ રીતે દક્ષપ્રપંચના ત્યાગ પછી જગત પણ જુદું રહેતું હશે. જે તેવું સ્વીકારીએ તો તો વૈત જ સિદ્ધ થાય. અને આવી સૂક્ષ્મ કે સુષુપ્ત શંકા કે સંદેહના નિરાકરણ માટે જ અહીં કહ્યું છે કે દૃશ્ય જગત અને હું (જે અદશ્ય છે) તે સૌ બ્રહ્મરૂપ જ છીએ એમ વિવેકીએ ચિંતન કરવું. આવા ચિંતનમાં જગત પણ અવશિષ્ટ નહીં રહે અને એક અદ્વૈત દિશામાં સંદેહ વિના ચિંતન શક્ય બની શકશે. માટે જ ગ્રંથને અંતે આ સ્પષ્ટતા કરવામાં આવી છે.