Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 528
________________ (૫૦૯) કૃપા તે જ સદ્ગુરુની પ્રાપ્તિ છે. “ઈશ્વર ગુરમાં ભેદ લગાર; ના માને તે સમજે સાર ગુરુ-શિષ્ય એ નામ જ માત્ર; રૂપે એક ને જુદાં ગાત્ર” -શ્રી રંગ અવધૂત તેથી શંકરાચાર્યજી પણ ગુરુના ભક્ત થવાનું જણાવે છે. કારણ કે આત્મજ્ઞાનમાં માત્ર સ્વયંનો પુરુષાર્થ નિરર્થક છે. ભણતર અને તર્ક અનર્થ છે. ભણતરની ના ચાલે બડાઈ; તર્ક વડાઈ થાકે પોથાં થોથાં કામ ન આવે; ગુરુગમ મારગ ચતુરસુજાણ જ્ઞાની ખપ્યો પોથાં પઢી; ખોલો (ગધેડો) વહી ચંદન મૂવો! માંહે ખજાનો જે ભર્યો હા! અન્યને તે સાંપડ્યો! પોથાં તણો ના વિષય એ, ના તર્કની ત્યાં તો ગતિ! અગમ અગોચર પંથ એ, ગુરુગમ બધી ચાવી રહી!” -શ્રી રંગ અવધૂત માટે જ કહ્યું છે કે ગુરુકૃપા વિના ઉદ્ધાર નથી. મોહ પડદો ખરે! સંસ્કૃતિભય ટળે. ગુરુકૃપા હોય તો ભેદ ખૂલે” શું કહું! ગુરુની કૃપા તો અપરંપાર છે. તેની નિર્દોષ દષ્ટિથી કોઈ શિષ્યના દોષ બચી શકતા નથી. તેને પથ્થર જેવા શિષ્યમાં અનુપમ મૂર્તિ દેખાય છે. તેથી જેમ શિલ્પી પથ્થરમાં મૂર્તિનાં દર્શન કરે છે અને મૂર્તિ સિવાયના પથ્થરને ટાંકણાથી ટાંચી ટાંચી દૂર કરે છે, અને તેથી જ અંતે મૂર્તિ પ્રગટ થાય છે. તેમ ગુરુ પણ શિષ્યને નિર્દોષ બ્રહ્મની સ્થિતિમાં સ્થિત કરવા પોતાના કર્ણાકટાક્ષોથી ટીપી ટીપીને શિષ્યના તમામ દોષ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ખરેખર તો તે શિષ્યને ટીપી ટીપી સાકારથી નિરાકાર તરફ લઈ જાય છે. પણ કદાચ શિષ્યની પરિપક્વતા ન હોય તો તેને તે ન સમજાય. શિષ્ય પોતાને અપમાનિત માને, ગુરકપાને કોધ માને; પણ ગુરુની અગમ્ય દષ્ટિનો અણસાર ન પામી શકે. સંત કબીર ગુરુની આ કૃપાને બિરદાવતા કહે છે કે "गुरु कुम्भार औ शिष्य कुंभ है घट घट काढे खोह अंतर हाथ सहार देत और बाहर मारे चोट ॥ ગુરુ કુંભાર જેવો ઘડવૈયો છે અને શિષ્ય ઘડો છે. જેમ ઘડાને સુંદર સ્વરૂપ આપવા માટે જ કુંભાર તેને ટીપી ટીપીને ત્રુટિઓ દૂર કરે છે,

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532