Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 530
________________ (૫૧૧) સર્વ કાર્યમાં - છતાં કાર્ય-કારણથી વિલક્ષણ હું. આવી દષ્ટિ એ જ વૃત્તિ વિસ્મરણરૂપી જ્ઞાન સંજ્ઞાવાળી સમાધિ છે. અને આ જ મને “મારા દ્વારા થયેલી મારી અનુભૂતિ છે, જેને અપરોક્ષ અનુભૂતિ કહેવાય છે, જેમ બ્રહ્મ કે આત્મા અપરોક્ષ છે તેવી જ આ અનુભૂતિ છે. માટે જ તેને અપરોક્ષાનુભૂતિ કહેવાય છે. જગતમાં માત્ર એક ગુર જ છે, જેની કૃપાથી અપરોક્ષ અનુભૂતિ થઈ શકે તેમ છે. અને જો તેવો ચમત્કાર અનાયાસે સર્જાય તો ગુરુ અને શિષ્ય બન્ને કહી શકે, ઋષિ અષ્ટાવક્રની જેમ - “હું દુઃખ સારા દૈત મેં; કોઈ નહીં ઉસકી દવા યહ દશ્ય સારા હૈ મૃષા, ફિર વૈત કૈસા વાહ! વાહ.. ચિન્માત્ર હું મેં એકરસં; મમ કલ્પના યહ દશ્ય હૈ.' મેં કલ્પના સે બાહ્ય હું આશ્ચર્ય હૈ આશ્ચર્ય હૈ. નહીં બન્ધ હૈ, નહીં મોક્ષ હૈ મુઝમેં ન કિંચિત્ ભ્રાંતિ હૈ માયા નહીં કાયા નહીં; પરિપૂર્ણ અક્ષય શાન્તિ હૈ. મમ કલ્પના હૈ શિષ્ય; મેરી કલ્પના આચાર્ય હૈ. સાક્ષી સ્વયં હું સિદ્ધ મેં, આશ્ચર્ય હૈ! આશ્ચર્ય હૈ” આથી શ્લોકમાં જે કહેવાયું કે “મુવતમત્તાનાં સર્વેવાં અનમો નવી” તે ખૂબ જ યથાયોગ્ય અને અંતે પરિપૂર્ણ સંદેશ છે, આદેશ છે, સંકેત છે અને ઉપદેશ છે. આવા ગહન ગ્રંથોમાં મારો ચંચુપાત કદાપિ શકય ન બન્યો હોત જો હું ગુરુકૃપાથી વંચિત રહ્યો હોત તો. તેથી આપ સૌની રજા લઈ, હું જગતગુરુ ભગવાન શંકરાચાર્યજીને અને મને અદ્વૈત દષ્ટિનો ગુરુપ્રસાદ આપી, અભય પ્રદાન કરનાર પ.પૂ. સ્વામી દયાનંદજીને કોટી કોટી પ્રણામ કરું છું. મને તો સાક્ષાત્ પરમાત્મા જ ગુરુ રૂપે ભેટ્યા અને સંસારના કાટમાળ નીચે દટાયેલા મને જેવો હતો તેવો બહાર ખેંચી લાવ્યા અને મને મારું દર્શન કરાવ્યું. તેની કરું કેમ હું સ્તુતિ! સદા ભજો ગુરુદેવ; ગુરુ બિન નાહિ કોઈ અપના; નાતે ગોતે સબ સ્વારથ કે; નિસ્વારથ ગુરુ રાના.' આપ સમાન કરે શિષ્યનકો દેવે પદ નિરબાના કરે લોહકા પારસ સોના; નહીં પારસ કર જાના નહીં ઉપમા ગુરુ કી ત્રિભુવનમેં; સાક્ષાત્ દેવ પિછાના.' -શ્રી રંગ અવધૂત આજે આ પાવન ગ્રંથની પૂર્ણાહુતિનો પ્રસંગ; સાડત્રીસ સાડત્રીસ દિવસના

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532