________________
(૪૯૯)
તેથી તેનું કારણ પણ છે જ. જેમ ઘડાથી માટી ભિન્ન નથી તેમ જગતથી તેનું કારણ ઈશ્વર પણ ભિન્ન નથી. આથી એક નિષ્કર્ષ પર આવી શકાય છે કે કાર્ય અને કારણ બન્ને એક છે અથવા કારણ જ કાર્ય બન્યું છે. અને કાર્યમાં જ કારણ અનુસૂત છે; જેમ ઘડામાં જ માટી સમાયેલી છે.
આ ઉપરથી આપણે માટીને કારણ તરીકે જાણી. આને માટીમાં કારણત્વનો અધ્યારોપ કહેવાય છે. ઘડાના જન્મ પૂર્વે ‘માટી’કારણ નહોતી પણ કાર્ય જન્મ્યું તેથી ‘કારણ’ પણ આવ્યું. કારણના આવા વિચાર પછી અન્વય પદ્ધતિ દ્વારા કાર્યનો વિચાર કરવો જોઈએ.
અન્વય પદ્ધતિ: આ પદ્ધતિમાં હકારાત્મક રીતે વિચાર કરવામાં આવે છે. कारणस्य सत्त्वे कार्यस्य सत्त्वं
यस्य सत्त्वे यस्य सत्त्वं માટી હોય તો ઘડો હોય કારણ હોય તો કાર્ય હોય
આ રીતે વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે માટી છે તેથી ઘડો છે અને માટી તે જ ‘કારણ’ તેવા ભાવમાં; અસ્તિત્વમાં ઘડો જેને ‘કાર્ય’ કહેવાય છે, તે છે. અગાઉ એ પણ વિચારાઇ ગયું કે ‘કાર્યમાં જકારણ અનુસૂત છે. અર્થાત્ ઘડામાં જ માટી છે તેમ જગતમાં જ ઈશ્વર છે. અર્થાત્ જયાં જયાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. જયાં જયાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે. અને જયાં જયાં જગત છે ત્યાં ત્યાં ઈશ્વર છે. કારણ કે જગત કાર્ય છે અને ઈશ્વર અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવાય છે.
આવી રીતે વિચારણા કરવાથી આપણે ‘કારણત્વ’નો અધ્યારોપ કર્યો કહેવાય. હવે પછીના શ્લોકમાં કરેલા આરોપનો અપવાદ કેવી રીતે કરવો તેની વિચારણા સમજાવી છે.
कार्ये हि कारणं पश्येत् पश्चात्कार्यं विसर्जयेत् ।
कारणत्वं ततो गच्छेदवशिष्ट भवेन्मुनिः ॥ १३९ ॥
ાર્યે દિ ઝારખં ક્ષેત્ર-કાર્યમાં કારણ વ્યાપ્ત છે તેવો વિચાર પ્રાપ્ત કરવો. પરત્તાત્=પછી
ાર્યમ્ વિસર્નયે-તે કાર્યને ત્યજી દેવું
ાળત્વમ્ તત: છે=કાર્યની સાથે (અંત:કરણથી) કારણ પણ જતું