________________
(૯૭).
(૨) ઘડાની ઉત્પત્તિ પૂર્વે માટી હતી. નાશ પછી પણ માટી જ રહે છે. ઘડાની અંદર માટી છે, બહાર માટી છે. અરે! ઘડો જ માટી છે, માટી સિવાય કંઈ જ નથી. પછી ઘડો જીવે કે મરે, જન્મે કે જાય, ક્યાં કંઈ આપત્તિ છે? માટી તો રહેવાની જ છે, તેમ જ સંસારની ઉત્પત્તિ પૂર્વે બ્રહ્મતત્વ હતું. વર્તમાનમાં છે, સંસારના પ્રલય પછી પણ બ્રહ્મ જ રહેશે! સંસાર આરોપ હોય તોપણ અધિષ્ઠાન બ્રહ્મથી ભિન્ન તો નથી જ. અર્થાત્ સંસાર પણ બ્રહ્મ જ છે. તો પછી સંસાર રહે કે જાય! જેની દૃષ્ટિમાં બ્રહ્મ જ છે તેને સંસારના રહેવાથી કે વિનાશથી કોઈ આપત્તિ નથી. આવા વિચારમાં સંસારની, દય-પ્રપંચની કે mતની નાબૂદીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ છે જાકારવૃત્તિ જેમાં સર્વ કાંઈ ચેતન છે, જા છે. અર્થાત નિષેધ વિના જ પ્રપંચ બાદ થઈ તેનો અનાયાસે બાધ થઈ જાય છે. કારણ કે જયાં પપંચ જ બહા, ત્યાં બચે શું? આવા વિચારથી પણ વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
(૩) વિજાતીય વૃત્તિના તિરસ્કારપૂર્વક સજાતીય વૃત્તિનો પ્રવાહ સતત રાખવાથી પણ વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
જ્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે વૃત્તિ જ્ઞાન ઉદય થાય છે. પ્રથમ, વસ્તુનું પરોક્ષ જ્ઞાન થાય છે પણ અંતે સતત વિચારણાથી વસ્તુ યથાર્થ સમજાય છે અને પછી જ વૃત્તિ બ્રહ્માકાર થાય છે. વસ્તુને યથાર્થ સમજવી એટલે કે બ્રહ્મ નિરાકાર કે નિર્ગુણ પણ નથી તેમ સમજવું. કારણ કે તે તો સાપેક્ષના ઈષ્ટિકોણની ભાષા છે. ગિત સાકાર છે તેથી બ્રહ્મ નિરાકાર છે અને કોઈ ગુણ છે માટે નિર્ગુણ બ્રહ્મ છે.]
વાસ્તવમાં ગુણ જ નથી તો નિર્ગુણ ક્યાં? ગત અસત્ છે તેમ માની બ્રહ્મને આપણે સત્ કહ્યું છે. જ્જત જડ છે, તેથી બ્રહ્મને ચિત્. કહ્યું છે. જ્જત દુ:ખમય છે, તેથી બ્રહ્મને આનંદ કહ્યું છે. આમ ખરેખર તો આ ભાષા સાપેક્ષવાદની છે. બ્રહ્મ તો નિરપેક્ષ છે. એટલે બ્રહ્મ માટે
જે સત્ ચિતુ અને આનંદ વગેરે શબ્દો કે પદ વપરાય છે તે પદનો વાર્થ પણ બ્રહ્મ નથી. તેથી બ્રહ્મ અત' પદ નથી કે નથી “અતિ” પદનો વાર્થ. કારણ કે તેના સંદર્ભમાં જે અદ્વૈત સમજાય તો તેવું બ્રહ્મ નથી. જો કૅત જ નથી તો અદ્વૈત કેવું? તેથી બ્રહ્મ, ભાષાનાં તમામ લક્ષણો, પદો, શબ્દોથી મુક્ત છે.