Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 514
________________ (૪૯૫) કઈ રીતે સાચું હોઈ શકે? આમ સ્પષ્ટ જ છે કે કાર્યના અભાવમાં કારણનો પણ અભાવ જ છે. તેથી જો જગત કાર્ય છે અને ઈશ્વર કારણ છે, તો પછી સંસાર તો મિથ્યા છે. તો તેનું કારણ ઈશ્વર કઈ રીતે સત્ હોઈ શકે? - નિષ્કર્ષ માટે જ કહ્યું છે કે જે કંઈ અસ્તિત્વમાં છે તે બ્રહ્મમય છે. બ્રહ્મથી ભિન્ન કંઈ જ નથી. નથી કારણ કે નથી કોઈ કાર્ય. જયારે કાર્ય અને કારણ, બન્નેનો બાધ થાય છે. ત્યારે જ ખરેખર તો સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે તેવું સમજાય છે. બ્રહ્મ અદ્વિતીય છે તેવા સિદ્ધાંતમાં કારણ અને કાર્યનો બાધ અનિવાર્ય છે. બ્રહ્મ તો કાર્ય-કારણથી વિલક્ષણ છે, અને તે જ મારું, તમારું, આપણું સ્વરૂપ છે, અને સ્વરૂપ એક છે તેની અનુભૂતિ થતાં “મારું', 'તારું, ‘તમારું કે “આપણું રહેશે નહીં. રહેશે માત્ર સ્વરૂપ. "एकमेव सदनेककारणं कारणांतरनिरासकारणम्। कार्यकारणविलक्षणं स्वयं ब्रह्म तत्त्वमसि भावयात्मनि।।। . -વિ. ચૂડામણી જે પોતે એક છે છતાં અનેક પદાર્થોનું કારણ છે અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ નથી, છતાં જે કાર્ય અને કારણથી ભિન્ન કે વિલક્ષણ છે; એ જ બ્રહ્મ તું છે; એમ તું મનમાં ધ્યાન કર.” આમ કાર્ય-કારણ સંબંધ કાલ્પનિક છે. આત્મવસ્તુને તેની સાથે કોઈ સંબંધ નથી તેથી જ કોઈ પણ કાર્યથી આત્મવસ્તુ પ્રાપ્ત થાય તેમ નથી. માટે જ કહ્યું છે કે વસ્તુસિદ્ધિર્વિવાળ ન વિશ્વિનોદિમિ'' II (વિ. ચૂ) __ अथ शुद्धंभवेद्वस्तु यद्वै वाचामगोचरम्। । दष्टव्यं मृद्घटेनैव दृष्टान्तेन पुनः पुनः॥१३६ ॥ અથ... આવો વિચાર કરવાથી થતું શુદ્ધ વસ્તુ વાવમ્ ગોવરમ્ =જે વાણીથી અગોચર છે તે શુદ્ધ વસ્તુ તત્વૈ મવેત્... તે (વિચારક) જ થાય છે. [અથવા તે શુદ્ધ વસ્તુ જ બચે છે). મૃત્ ઘટેન દૃષ્ટાંતનાવ પુનઃ પુનઃ તત્ દૃષ્ટવ્યમુ=માટી અને ઘડો એ દષ્ટાંત

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532