Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 517
________________ (૪૮) જ્યાં સુધી અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અખંડાકાર, નિર્વિકાર વૃત્તિ દ્વારા ચિંતનમાં વારંવાર પુનરાવર્તનની જરૂર છે. બાકી બ્રહ્મજ્ઞાનમાં ઉદય કે અસ્ત નથી; તેથી તેમાં આવર્તન કે પુનરાવર્તનની પણ જરૂર નથી. બ્રહ્મજ્ઞાન થાય પછી તેનો કદી વિનાશ થતો નથી. માટે જ કહ્યું છે કે “યત્ત્વ ન નિવર્તિ'. અન્વય-વ્યતિરેક દ્વારા આત્મવિચાર અહીં તર્કબદ્ધ વિચારણા માટેની પદ્ધતિનું નિરૂપણ છે. કઈ રીતે કાર્યના સ્વીકાર દ્વારા પ્રથમ કારણનો સ્વીકાર થાય છે અને પછી જે કારણ અધ્યારોપ છે તેનો અપવાદ પણ કાર્યના ઇન્કાર કે અસ્વીકાર દ્વારા થાય છે તે સમજાવવાનો સુંદર પ્રયત્ન છે. कारणं व्यतिरेकेण पुमानादौ विलोकयेत। अन्वयेन पुनस्तद्धि कार्ये नित्यं प्रपश्यति॥१३॥ પુમાન ખાવી.=પુરુષે પ્રથમ વ્યતિ વિતાવતુ-વ્યતિરેક પદ્ધતિથી કારણનો વિચાર કરવો જોઈએ. પુન:.. પછી અન્વયેન.=અન્વય પદ્ધતિથી વિચાર કરવાથી) થૈ તા () કાર્યમાં તે (કારણને) નિત્ય પ્રપતિ નિત્ય જુએ છે. પ્રથમ આપણે વ્યતિરેક અને અન્વય શું છે તે સમજી લઈએ તેથી સ્પષ્ટતા થઈ જશે. વ્યતિરેક પદ્ધતિ: આ પદ્ધતિમાં પ્રથમ નિષેધાત્મક રીતે વિચાર કરવામાં આવે છે અર્થાતુ વિચાર થાય છે કે કારણ ન હોય તો કાર્ય ન હોય... માટી ન હોય તો ઘડો ન હોય... कारणस्य अभावे कार्यस्य अभाव : यस्य अभावे यस्य अभाव: આવો વિચાર કરવાથી એક વાત ખૂબ જ સ્પષ્ટ થઈ જશે કે ઘડો તો શ્ય જ છે તેથી માટી જરૂર છે. તેવી જ રીતે ગત દશ્ય છે.

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532