________________
(૪૯૬)
લઈને વારંવાર વિચાર કરવો જોઈએ કે કાર્ય-કારણના
અભાવમાં બ્રહ્મ જ રહે છે] માટી અને ઘડાનું દષ્ટાંત લઈને વારંવાર વિચારવું જોઈએ કે “ઘડો’ નામ છે અને તે નામને એક આકાર છે. “નામ” અને “આકાર” બન્નેને પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ છે. જયારે માટીને તેમાંનું કંઈ જ નથી. ઘડાનાં રૂપ અને રંગ, માટીમાં માત્ર આરોપિત છે. તેથી ઘડો કાર્ય જ જયાં વાસ્તવિક નથી, પ્રતીતિ-માત્ર છે ત્યાં તેનું કારણ’ પણ સાચું ન જ હોય. તેથી જયાં કાર્ય નથી ત્યાં કારણ પણ નથી. તેવી જ રીતે સંસાર કાર્ય નથી અને ઈશ્વર કારણ પણ નથી. આમ બન્નેના અભાવમાં તે બન્નેનું અધિષ્ઠાન બ્રહ્મ જ બાકી બચે છે. '
તે બ્રહ્મમાં પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, દેશ, કાળ, વસ્તુ કે કાર્ય-કારણભાવ નથી. તે તો શુદ્ધ છે અને વાણીથી અગોચર છે. “વાવામગોવરમું.”
કાર્ય અને કારાણના અભાવમાં તે બન્નેનું અધિષ્ઠાન બ્રહ્મ જ બચે છે. તેવો વિચાર વારંવાર કરવાનું શું ફળ છે તે દશવિ છે.
अनेनैव प्रकारेण वृत्तिर्ब्रह्मात्मिका भवेत् ।
उदेति शुद्धचित्तानां वृत्तिज्ञानं ततः परम्॥१३७॥ શુદ્ધવિત્તાનામ્...=શુદ્ધ અંત:કરણવાળાને મને પ્રાન પર્વ આ પ્રકારના વિચારથી વૃત્તિજ્ઞાનમ્ તિવૃત્તિનું જ્ઞાન ઉદય પામે છે. તત: પમ્.. તે પછી વૃત્તિઃ હાત્મિક મવેડૂ-વૃત્તિ બ્રહ્માકાર થાય છે.
અહીં એવું સમજાવ્યું છે કે વિચારથી જ વૃત્તિ બ્રહ્માકાર થાય છે. તો આપણે પણ વિચારીએ કે કેવા વિચારથી તેમ થાય છે.
(૧) કાર્યના અભાવમાં કારણનો અભાવ છે અને કાર્ય-કારણના અભાવમાં જ બ્રહ્મ અધિષ્ઠાન છે, ચૈતન્ય છે અને તે ચૈતન્ય હું જ છું કેમ કે તેથી અન્ય કંઈ જ બચ્યું નથી-નથી જગત કે નથી તેનો કર્તા-આમ વિચારવાથી વૃત્તિ બ્રહ્માકાર થાય છે.