________________
(૪૯૩)
ન શકાય, તેમ જ બ્રહ્માકાર વૃત્તિ પણ ત્યાગી શકાય નહીં; તે તો ત્યાજ્જ અને ગ્રાહ્યથી મુક્ત છે. પરમ પાવન પૂજ્ય છે.
બ્રહ્માકાર વૃત્તિની પદ્ધતિ
હવે પાંચ શ્લોક દ્વારા ભગવાન શંકારાચાર્ય બ્રહ્માકાર વૃત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તેની ઝીણવટભરી સમજ આપે છે. અને આ સૂક્ષ્મ પતિ દ્વારા અહીં વેદાન્તસિદ્ધાન્તનું પણ નિરૂપણ થયેલું છે.
कार्ये कारणता याता कारणे न हि कार्यता । कारणत्वं ततो गच्छेत् कार्याभावे विचारतः ॥ १३५ ॥ વાર્યું જાળતા યાતા =કાર્યમાં કારણતા પરોવાયેલી છે. ાળે વાર્યતા ન હિ =પણ કારણમાં કાર્ય નથી. . તેથી
તતઃ...
ાર્યસ્ય અમાવે =કાર્યના અભાવનો
વિષાતઃ... વિચાર કરવાથી
વત્વમ્ યાōત્ =કારણ-પણ જતું રહે છે. “હાર્યે વાળતા યાતા” =“કાર્યમાં કારણતા છે” “જાણે ન દિ વાર્યતા” =‘“પણ કારણમાં કાર્ય નથી” આ વેદાન્ત સિદ્ધાંતની એક મહત્ત્વની વસ્તુ છે. અર્થાત્ કાર્યમાં કારણ છે. પણ કારણમાં કાર્ય નથી. બંગડીમાં...સોનું છે. પણ સોનામાં બંગડી નથી. ઘડામાં...માટી છે. પણ માટીમાં ઘડો નથી. ટેબલમાં...લાકડું છે. પણ લાકડામાં ટેબલ નથી.
સાડીમાં...કપાસ કે રૂ છે. પણ રૂમાં સાડી નથી.
રૂ કે કપાસનાં તો અનંત રૂપ છે. પ્રથમ તાર નીકળે જેને તાણા, વાણા એવું કાલ્પનિક નામ અપાયું. છતાં કોઈ તારમાં ભેદ નથી. નામમાત્રનો ભેદ છે. પછી તારથી કપડું બન્યું, તેનાં અવનવાં નામ છે માદરપાટ,