Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 510
________________ (૪૯૧) બ્રહ્મનિષ્ઠની સ્થિતિ બ્રહ્મવૃત્તિને પ્રાપ્ત બ્રહ્મનિષ્ઠની સ્થિતિ સમજાવી છે. निमेषा न तिष्ठन्ति वृत्तिं ब्रह्ममयीं विना। यथा तिष्ठन्ति ब्रह्माद्या: सनकाद्या: शुकादायः ॥ १३४॥ બ્રહમ વૃત્તિ વિના બ્રહ્માકાર વૃત્તિ વિના તે પુરુષો નિમેષ ન તિત્તિઅડધી પળ પણ રહેતા નથી. (જેવી રીતે) બ્રહા .. =બ્રહ્માજી વગેરે સના સનકાદિ વગેરે યા..શુકદેવજી વગેરે યથા તિછત્તિ.=પણ બ્રહ્મમય વૃત્તિ વિના રહેતા નથી. અહીં વેદાન્તની સમાધિનો સંકેત આપ્યો છે, અને તેથી અન્ય યોગાદિની સમાધિથી ભિન્ન અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદાન્ત એ ઐક્યની, અભેદની, અભયની, અસંગની, અદ્વૈતની દષ્ટિ છે. વેદાન્ત મનની દીવાલોથી પેલે પાર પહોંચેલી સ્થિતિ છે. વેદાન હંકાતીને થયેલા ચિત્તની અનુભૂતિ છે. વેદાન્તની સમાધિનો સંબંધ શરીરની આકૃતિ, પ્રકૃતિ કે વિકૃતિ કરતાં ચિત્તની વૃત્તિ સાથે છે. તેથી સામાન્ય લૌકિક દષ્ટિએ જેને સમાધિ સમજવામાં આવે છે તેથી તે અન્ય છે, ભિન્ન છે. શરીરને ખાડામાં ઉતારી દેવું, સાત દિવસ દાટી રાખવુંપછી જીવતા બહાર આવવું, પાણીમાં શરીરને ઉતારી કાચની (એરટાઈટ) પેટીમાં રહેવું, જ્યાં હવા અવરજવર ન કરે છતાં પણ શરીરને પાણી ન અડે તેવા પ્રયોગો દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોગીઓ કરે છે. આવી શરીર સાથે સરકસ જેવી કરામતોને વેદાન્તની સમાધિ સાથે નિસ્બત નથી. ન તો ક્લાકોનું મૌન, ન તો દિવસો સુધી આંખો બંધ અને શરીર જડવ-શબવતુ-પડયું હોય તે; ન તો વિચાર કે ચિત્તની શૂન્યતા સમાધિ છે. વેદાન્તની સમાધિ એ જ બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ કે નિરાકાર બ્રહ્મમાં સ્થિતિ. આવી બ્રહ્મમય વૃત્તિ હોય છતાં સતત કાર્ય ચાલ્યા કરે છે, જેમ બ્રહ્માજી સતત સર્જન ક્યાં જ કરે છે યોગ્ય ન્યાયાધીશ થઈ જીવોને કર્મ પ્રમાણે યોનિ, સદ્ગતિ, અવગતિ પ્રદાન કર્યા જ કરે છે, અડધી પળ પણ વિશ્રામ લેતા નથી છતાં તેઓ કદી બ્રહ્માકારવૃત્તિથી ચુત થતા નથી. તેવી જ રીતે શંકરજી નિરંતર વિસર્જન કર્યા કરે છે - કારણ કે ક્ષણે ક્ષણે ક્ષયની, લયની, વિકૃતિની રૂપાન્તરની કિયા તો સંસારમાં

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532