________________
(૫૬)
ધ્યાન કોઈ પણ વ્યક્તિ કદી બેધ્યાન હોતી નથી. કોઈ ને કોઈ સ્થળે તો તેનું ધ્યાન હોય છે જ. અર્થાત તેના ચિત્તની એકાગ્રતા તેને જેમાં રસ, અભિરુચિ, આસક્તિ કે રાગ હોય તેમાં હોય છે. એક જ સમયે વ્યક્તિ એક જ વસ્તુમાં ધ્યાન આપી શકે છે. છતાં ધ્યાનમાં ઘણી વાર વિષય, બેય કે વસ્તુ બદલાય છે. અર્થાત્ મન ધ્યેય વસ્તુને છોડી બીજે જાય છે અને ધ્યાતા પ્રયત્નથી પુન: તેને ધ્યેય વસ્તુમાં જોડે છે. મનનો સ્વભાવ જ છે કે તે લાંબો સમય એક વસ્તુમાં કે પદાર્થમાં રહેતું નથી. વિષયાંતર થયા જ કરે છે. વિજ્ઞાન જેને લક્ષ્યએશન ઓફ એટેન્શન' કહે છે તેને જ શાસ્ત્રોમાં મનની ચંચળતા હી છે. વ્યવહારમાં ધ્યાન વિષયના સંદર્ભમાં સમજવામાં આવે છે. જ્યારે વેદાન્તમાં મનમાં કોઈ પણ વિષય ન પ્રવેશે તેને ધ્યાન કહે છે, યોગશાસ્ત્રમાં મન કે ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. આમ, સંદર્ભ બદલાતાં ધ્યાનના અર્થો પણ બદલાઈ જાય
પ્રથમ આપણે યોગશાસ્ત્રના સંદર્ભમાં ધ્યાનનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ. પાતંજલ યોગદર્શનના ‘વિભૂતિપાદીમાં બીજા સૂત્રમાં ધ્યાન નીચે મુજબ સમજાવેલું
तत्र प्रत्ययैकतानता ध्यानम्॥२॥ સૂત્રાર્થ ધાણના દેશમાં બેયવિષયક પ્રયત્નથી જે એકતાનતા તે ધ્યાન
તત્રધારણાના દેશમાં પ્રત્યવિdાનતા એટલે બેય વસ્તુને આલંબન કરનાર જે વૃત્તિ છે તેની એકાગ્રતા.
બાન:ધારણાના વિષયને આલંબન કરી રહેલી ચિત્તવૃત્તિઓનો જે એકધારો પ્રવાહ છે તે ધ્યાન છે. અર્થાતુ એમ કહી શકાય, કે ધ્યેય વિષયમાં અંતરાયસહિત એકાકારવૃત્તિનો પ્રવાહ ધ્યાન છે અર્થાત ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ તૈલધારાવતું હોતો નથી પણ વચ્ચે વચ્ચે વિચ્છેદ વાળો અર્થાતુ શંકર ભગવાન પર અભિષેક થાય છે તેવો હોય છે. વૃત્તિવિચ્છેદ સમાપ્ત થાય અને તૈલધારાવતું પ્રવાહ ચાલે ત્યારે તેને સમાધિ કહેવાય છે. વેદાન્તમાં ધ્યાન
વેદાન્તામાં ધ્યાનયોગ બે સંદર્ભમાં સમજાય છે. (૧) અંત:કરણની શુદ્ધિરૂપે (૨) નિદિધ્યાસનરૂપે ભગવદ્ગીતાના અધ્યાય છને ધ્યાનયોગ અથવા આત્મસંયમયોગ કહે છે.