Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 499
________________ (૪૮૦) ગુર:- કેવા સ્વરૂપે તું બ્રહ્મને જાણે છે? શિષ્ય:- હું જાણું છું. પણ વિષયરૂપે નથી જાણતો માટે હું જ્ઞાત છું અને અજ્ઞાત પણ છું. ગુર:- તું અજ્ઞાત છે? નથી જાણતો? શિષ્ય:- હું તદ્દન અજ્ઞાત નથી. મારા સ્વરૂપ તરીકે બ્રહ્મને જાણું છું. પણ મુજથી ભિન્ન નથી જાણતો તેથી અજ્ઞાત પણ છું. હું જ બ્રહ્મ અને બ્રહ્મ તે જ હું પછી જાણવા ન જાણવાનું રહ્યું કયાં? તેથી હું જ્ઞાત-અજ્ઞાતથી પર છું. “અપરોક્ષ છું”. આમ, જે કોઈ બ્રહ્મને પ્રત્યક્ષ કે પરોક્ષ જાણે તે બ્રહ્મથી, સ્વરૂપથી અજાણ છે. પણ જેને માટે બ્રહ્મ અપરોક્ષ છે તે જ બ્રહ્મનો જ્ઞાતા કેનોપનિષદનું આ કેવું ગેબી રહસ્ય! “નાદ મને સુવેતિ નોનવેતિ વે રા. यो नस्तद् वेद तद् वेद नोनवेदेति वेद च। __ॐ तत् सत् સાધનમાં વિન અપરોક્ષ અનુભૂતિ માટે જ્યારે નિદિધ્યાસન જેવું સાધન કરવામાં આવે છે ત્યારે અનેક પ્રકારનાં વિઘ્નો આવે છે. વિપ્ન તો કોઈ પણ પ્રવૃત્તિના આરંભકાળે ડોકિયાં કરતાં દેખાય છે. પણ જેઓ આરંભમાં જ અંતરાય; વિબ, આપત્તિ કે મુક્લીના ભયથી કોઈ પણ પ્રવૃત્તિનો આરંભ જ કરતા નથી કે પ્રવૃત્તિનો અધવચ્ચે ત્યાગ કરે છે તેમને જીવનમાં કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. વિઘ્ન આવે અને છતાં તેને સહન કરી કે અવગણીને દઢ શ્રદ્ધાથી પ્રયત્ન ચાલુ રાખવામાં આવશે તો વિપ્નની હાર થશે અને આપણી જીત થશે. તેથી સાધનામાં આવતાં વિન સામે યુદ્ધ ચડવાનો માત્ર એક ઉપાય છે અને તે સાધનાનો સતત અભ્યાસ અને ચિત્તમાં વૈરાગ્ય. જો વિનને મહત્વ આપી તેના સંહાર માટે પ્રયત્ન કરશો તો શક્તિ વેડફાઈ જશે. અને જે વિનને મિત્ર બનાવી આવકારશો તો તેમાં

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532