Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 505
________________ (૪૮૬) · માટે આનંદ છે. સ્વરૂપનું જ્ઞાન પણ તે અવસ્થામાં કે જાગ્રત થયા પછી રહેતું નથી. તેવું જ નિદિધ્યાસનમાં શૂન્યતાના વિઘ્ન સમયે ભાસે છે. 12 નિષ્કર્ષ - અનાત્માનું, આકારનું, દૃશ્યનું, જ્ઞેયનું, અનિત્યનું, પ્રતીતિનું, આભાસનું, આરોપનું ચિંતન કરવું તે તો વિઘ્ન જ છે, પણ તેવા દેશ, કાળ વસ્તુથી પરિચ્છિન ચિંતનમાં સંતુષ્ટ રહેવું તે પણ વિઘ્ન જ છે. વૃત્તિ દ્વારા પૂર્ણત્વનો અભ્યાસ હવે પદાર્થાકાર, વિષયાકાર અને સંસારાકાર વૃત્તિથી દૂર રહેવા માટે બ્રહ્માકાર અથવા પૂર્ણાકાર વૃત્તિથી પૂર્ણત્વનો અભ્યાસ કરવાનું સૂચન અપાય છે. भाववृत्त्या हि भावत्वं शून्यवृत्त्या हि शून्यता । ब्रह्मवृत्त्या हि पूर्णत्वं तथा पूर्णत्वमभ्यसेत् ॥ १२९ ॥ માવતૃત્ત્વા હિ માનત્વમ્ =(ભાવ અર્થાત્ પદાર્થ) પદાર્થોનો વિચાર કરવાથી વૃત્તિ પદાર્થોકાર થાય છે. શૂન્યવૃત્ત્વાહિશૂન્યતા =(અંત:કરણમાં પદાર્થની) શૂન્યતા થતાં થતાં વૃત્તિ શૂન્યાકાર થાય છે, બ્રહ્મવૃત્ત્વા ત્તિ પૂર્ણત્વમ્ =વૃત્તિ બ્રહ્માકાર થતાં પૂર્ણત્વ પ્રાપ્ત થાય છે, તથા પૂર્ણત્વમ્ અભ્યસેત્ -તેથી પૂર્ણત્વનો અભ્યાસ કરવો. મુખ્ય બે પ્રકારની વૃત્તિઓ છે. ભ્ વૃત્તિ અને અમ્ વૃત્તિ. જેના માટે આ, ચદ્દ, THIS વપરાય છે તે સર્વ વસ્તુ ભ્ વૃત્તિમાં આવે છે. જેટલાં જેટલાં પદાર્થો તેટલી તેટલી વૃત્તિઓ, જેટલાં આકાર તેટલી વૃત્તિઓ, જેટલાં વિષય તેટલી વિષયાકાર વૃત્તિઓ. આમ, વૃત્તિઓ તો અનેક છે. અને અમ્ વૃત્તિ એક છે. સર્વ લમ્ વૃત્તિ મમ્ વૃત્તિના આશ્રમે જ છે. સ્વપ્નમાં વ્યક્તિ, પાત્રો, પદાર્થો અનેક છે પણ તે સૌનો શાતા હું એક છું. આપણે કહીએ છીએ કે અહમ્ સ્વપ્નદ્રષ્ટા. તેવી જ રીતે જાગ્રતમાં પણ અનેક વૃત્તિઓનો છા કે શાતા અમ્ છે=હું છું. અને તે જ પ્રમાણે સુષુપ્તિમાં પણ કહેવાય છે અહમ્ =હું કંઈ જાણતો નથી. આમ ત્રણે અવસ્થામાં પદાર્થાકાર કે વિષયાકાર વૃત્તિઓ બદલાય છે. પણ અમ્ વૃત્તિ બદલાતી નથી. ત્રણે અવસ્થા અને અનેક પદાર્થોને જાણનારી અહમ્ વૃત્તિ છે.

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532