Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 502
________________ (૪૮૩) ત્યાં ચિત્ત થંભી જાય છે. અનુસંધાન કરું કોનું? તે સમજાતું નથી. બ્રહ્મભાવના શેમાં કરું? સાકારમાં કે સગુણમાં? જીવમાં કે જગતમાં? મૂર્તિમાં કે પંચમહાભૂતમાં? જીવને જ બ્રહ્મ માની ચિંતન કરું કે બ્રહ્મનું જ ચિંતન કરું? કેવી વૃત્તિથી અનુસંધાન કરવું એ જ જયારે ન સમજાય અને ચિંતન વિના રહી પણ ન શકાય ત્યારે, તેવી ચિત્તની સ્થિતિ તે અનુસંધાન રહિત ગણાય છે. બાકી “અનુસંધાનભિI અંત:કરણવૃત્તિ:” અર્થાત અંત:કરણની અનુસંધાન કરનારી વૃત્તિને જ ચિત્ત કહેવાય છે. પણ અનુસંધાન બ્રહ્મ સાથે ન થાય ત્યારે જ અસ્થિર બુદ્ધિ, ચંચલ ચિત્ત અને વાસનામય મનને અનુસંધાનરાહિત કહેવાય છે. (૨) માનવામ- સાધના શરૂ કરવા માટે જેઓ આળસ અને પ્રમાદથી પ્રભાવિત થઈ નિદિધ્યાસનનાં સાધનોની ઉપેક્ષા કરે છે, સાધના શરૂ કરવા માટે સંજોગની રાહ જુએ છે, તેમનો સમય સાધના વિના વીતી જાય છે. પરિણામે આળસ વધુ ને વધુ દઢ બને છે. તમોગુણની વૃદ્ધિ થાય છે અને સાધના ભવિષ્યમાં ધક્લાય છે. આવી વૃત્તિ તે જ આળસ કહેવાય (૩) મોડાસાતસ- નિદિધ્યાસન સમયે ખાવાની,પીવાની, સ્પર્શની, સુંઘવાની, જોવાની, જાણવાની, શ્રવણની જે ઇચ્છા થવી તે જ ભોગલાલસા છે. તેથી બ્રહ્મચિંતન છૂટે છે અને ભોગચિંતન શરૂ થાય છે. તેથી ભૂતકાળમાં જે જે સુખનો અનુભવ કર્યો હોય છે તેની તેની વર્તમાન સમયે સ્મૃતિ તાજી થાય છે. અને તેવું થવાથી સાધક દિવાસ્વપ્નમાં પડી જાય છે. બ્રહ્મને છોડી ભ્રમમાં રાચે છે. અને આ ભોગલાલસા જ સાધકમાં રાગ પેદા કરે છે. જેમાં રાગ થાય તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય અને અંતે વિક્ષેપ, ક્રોધ અને સ્વરૂપની વિસ્મૃતિ થાય છે. (૪) તા - અખંડાકાર વૃત્તિ વિના કે વિજાતીય વૃત્તિના તિરસ્કાર સહિત સજાતીય વૃત્તિના ચિંતન વિના નિદિધ્યાસન શક્ય જ નથી. આ વૃત્તિનો લય થવો તે જ સ્વરૂપચિંતનના નાશ જેવું થયું. તેટલું જ નહીં પણ ઘણી વાર સાધકને ઝોકાં પણ આવે છે. આ જ ચિંતનમાં લય નામનું વિM છે.

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532