________________
(૪૮૧) ફસાઈ જવાશે. તેથી વિતને તેની જગ્યાએ રહેવા દઈ, આપણે આપણા સ્વરૂપમાં રહી સાધના ચાલુ રાખવી, તે જ શ્રેયમાર્ગ છે. વિપ્નનો ન સ્વીકાર, ન તેનો તિરસ્કાર પણ તે પ્રત્યે ઉપેક્ષાદષ્ટિ રાખવી. અર્થાત્ (વિ શુડનોટ સિલેક્ટ ઈટ, નાઈધર રિજેક્ટ ઈટ બટ વિ મસ્ટ નિગલેક્ટ ઈટ.)
યોગદર્શનમાં તો સાધનામાં આવતાં વિદ્ધની વિસ્તૃત ચર્ચા છે. અહીં થોડાં નામનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. (૧) વ્યાધિ: શારીરિક કે માનસિક રોગ, વાતપિત્તકપાદિ
(૨) સ્વાન: તમોગુણની વૃદ્ધિથી યોગમાં ચિત્તની અયોગ્યતા (૩) સંશય: યોગના ઉપાયમાં શંકા (૪) અવિરતિ : વૈરાગ્યનો અભાવ (૫) અલબ્ધ ભૂમિકત્વ: સમાધિની કોઈ પણ ભૂમિકાની અપ્રાપ્તિ (૬) પ્રમાદ: સાધના અને સાધનમાં આળસ (૭) ભ્રાંતિ : યોગ અને સાધનમાં મિથ્યા જ્ઞાન (૮) અવિદ્યા: અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી તે (૯) અસ્મિતા: સાત્ત્વિકી બુદ્ધિના એકપણાની ભ્રાંતિ (૧૦) અભિનિવેશ: મૃત્યુનો ત્રાસ, મોતનો સ્વાભાવિક ભય,
જે જ્ઞાની અજ્ઞાની બન્નેને સતાવે છે. આવાં વિઘ્નો આવે અને સાધક સાધના છોડી દે તો વિપ્નની જીત થઈ અને સાધકની હાર! વિઘ્ન માટે કહેવાય છે કે તે બળપૂર્વક પણ આવે છે. ભલભલા વિશ્વામિત્રની તપશ્ચર્યાનો ભંગ કરવા મેનકા વિન બનીને આવી હતી!
આવી વાત કોઈ આચાર્ય સંભળાવી રહ્યા હતા અને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછયો!
“ગુરુજી, શું ખરેખર ધ્યાનમાં વિઘ્ન આવે?” તેમાં શંકા કેમ રાખે છે? વિશ્વામિત્ર જેવાના તપમાં પણ મેનકા