________________
હું બ્રહ્મ છું તેવી અખંડાકારવૃત્તિથી ચિંતન કરતાં સમજાયું કે હું સત્ છું. અથતુ હતો, છું અને રહેવાનો, અર્થાત્ ત્રણે કાળમાં હું છું. કોઈ કાળે હું નહોતો તેવું નથી. આ ભાવને જ કાળમાં બહાભાવના કહેવાય છે. ધ્યાન એ કાળમાં બ્રહ્મભાવના છે. આવી બ્રહ્માકારવૃત્તિ દ્વારા જ્યારે સતત આવર્તન થાય છે ત્યારે અતિ બ્રહ્માકારવૃત્તિ પણ શેષ રહેતી નથી. અન્ય | વૃત્તિઓને ડુબાડી પોતે પણ ચૈતન્યસાગરમાં ડૂબી જાય છે.
અને એકનો અનાયાસે એકાન્તમાં એકાકાર થઈ જાય છે. જેવી રીતે ફટકડી કચરાને પાણીમાં ડુબાડી પોતે પણ અંતે નામશેષ થઈ જાય છે. માટે જ કહ્યું છે કે બ્રહ્મનું ધ્યાન કરતો અને પોતાને બ્રહ્મથી અભિન્ન જાણે છે.
स यो ह वै तत्परमं ब्रह्मवेद ब्रह्मैव भवति"
-મુંક કૃતિ
“જે કોઈ તે પરબ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મ જ થઈ જાય છે.” “હું બહ્મ છું' તેવું ધ્યાન કરનાર બહા કઈ રીતે થાય? શ્રી રંગ અવધૂત સરળ ભાષામાં તે સમજાવે છે “કિશોરવયની બાળા નિતદિન માત થવા તલસાયા ઢીંગલા ઢીંગલી કોડે રમતાં તે માતા થાય
જેવી જેની બુદ્ધિ રે તેવા નર તે થાય. કીટ ભમરીનું ધ્યાન ધરે છે જાત વિજાતીય એહ ભયથી ધ્યાતાં ભમરી થાએ કેમ ખાલી જશે નેહ ધ્યાતા ધ્યેય નિલે જીવ તે તો શિવ થયા હરિગુણ ગાતાં રે હરિજન હરિ થયા નિર્ગુણ ધ્યાતાં રે ગુણાતીત પોતે થયા.” આદિ શંકરાચાર્યજી પણ એ જ વાત સમજાવતાં જણાવે છે કે
सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया। कीटको भ्रमरं ध्यायन्भ्रमरत्वाय कल्पते॥३५९॥
-વિ ચૂડામણિ “એક નિષ્ઠાથી હંમેશા બ્રહ્મનું ધ્યાન કરતો માણસ બ્રહ્મસ્વરૂપ થાય છે. જેમ કીડો ભમરીનું ધ્યાન કરતો ભમરી થાય છે.”