________________
(૪૭૬)
નિદિધ્યાસનનાં પ્રકરણનો ઉપસંહાર
ભગવાન શંકરાચાર્યે અનંતકૃપાદષ્ટિથી આત્મજ્ઞાનમાં નિષ્ઠા ઊભી કરવા વેદ, ઉપનિષદ, સ્મૃતિ અને શાસ્ત્રોમાં ગહન રહસ્યોને પોતાની યુક્તિ અને સ્વાનુભૂતિ દ્વારા સરળ બનાવી આપણી સમક્ષ મૂક્યા. બાકી અપરોક્ષ અનુભૂતિ જેવા વિષયમાં આપણો પ્રવેશ કદી શક્ય ન બન્યો હોત! એકના એક વિચારને કેવી રીતે વાગોળી શકાય અને છતાં તેમાં અણગમો ઊભો ન થાય, અતિરેક ન થાય પરંતુ પુન: પુન: તેનું આવર્તન કરવાની સ્ફુરણા જાગે એ જ તેમની આગવી શિક્ષણપ્રણાલિકાનું અલૌકિક લક્ષણ છે. મુખ્યત્વે અહીં વાંચાતીત ‘સ્વરૂપ' છે તેનું વર્ણન નથી અને જ્યાં ઉલ્લેખ ભાસે છે ત્યાં લક્ષણાવૃત્તિથી સંકેત છે, નિર્દેશ છે. પ્રયત્ન તો અનાત્મા સાથેના તાદાત્મ્યને તોડવાનું જરૂર વર્તાય છે. આરોપના વિસર્જન માટે કે અજ્ઞાનની નાબૂદી માટે શ્રુતિ, યુક્તિ અને સ્વાનુભૂતિનો સહારો સ્પર્શાય છે. એ સ્પષ્ટ છે કે વેદાન્તનો હેતુ અનિર્વચનીય આત્માનું વર્ણન કરવાનું નથી પણ તેની આજુબાજુ અવિદ્યાનું જે આવરણ છે તે દૂર કરવાનો છે. ઉપાધિ નિર્મૂળ કરવાનો છે. દ્વૈત અનુભવગમ્ય છે છતાં અસત્ છે તે દર્શાવવાનો જ છે. મોહ અને માયાનાં અદૃશ્ય મૂળ, અદશ્ય એવા અસંગશસ્ત્રથી કાપવાનો પ્રયત્ન જરૂર છે. તેવું આપણે સ્પષ્ટ જોઈ શક્યાં છીએ.
હવે ઉપસંહાર કરતાં એક શંકા ઊભી કરે છે અને સમજાવે છે કે નિદિધ્યાસનનાં જે પંદર અંગોનું વર્ણન કર્યું છે તેનો અભ્યાસ ક્યાં સુધી કરવો ? અને તેનું ફળ શું છે?
इमं चाकृत्रिमानन्दं तावत्साधु समभ्यसेत्
वश्यो यावत्क्षणात् पुंसः प्रयुक्तः संभवेत् स्वयम् ॥ १२५ ॥ યાવત્ ક્ષળાત્...=જ્યાં સુધી પુંસ ... પુરુષને
યુવત્ત: (સન્ સમાધિ:) સ્વયમ્ વશ્યક સંમવેત્=(ઉપર જણાવેલી નિર્વિકાર અને બ્રહ્માકારવૃત્તિરૂપી સમાધિ) પ્રયત્ન વિના સ્વયં સ્વાધીન ન થાય.
ચાવત્ ર્ અત્રિમાનમ્ સંમવે-(અને) જ્યાં સુધી (પુરુષને) અકૃત્રિમ= સહજ આનંદ પ્રગટે નહીં ત્યાં સુધી.
તાવત્ ફમમ્ (સમાધિ) સાધુ સમય્યક્ષેત્=આ સમાધિનો સારી રીતે અભ્યાસ