________________
(૪૬૨) આત્મરૂપે કેવો કૃતાર્થ છું!
જ્યકક્ય હું ધન્ય હું, જે કંઈ છે, તે સર્વે મુજમાં છે. જડમાં હું સત્ રૂપે છું. અજ્ઞાનીમાં હું સત્ અને ચિત્ રૂપે છું શાનીમાં સત, ચિત્ અને આનંદસ્વરૂપે હું. ને છતાં જ્ઞાની-અજ્ઞાનીની ઉપાધિથી મુક્ત હું, નિત્ય મુક્ત છું. બધાં મારાં છે પણ.. હું કોઈનો નથી તેવો અસંગ આત્મસ્વરૂપ હું બસ.. હું જ છું. માત્ર...
અમ્...અરમ્... અસ્તિત્વ. હું
સ,
ચિત્.. આનંદ...
આ જ છે ધ્યાનનો બીજો પ્રકાર. જેમાં વિજાતીય વૃત્તિનો તિરસ્કાર છે અને સજાતીય વૃત્તિપ્રવાહનો અર્થાતુ અખંડાકાર વૃત્તિનો કે બ્રહ્માકારવૃત્તિનો સહજ પ્રવાહ છે. આને જ નિદિધ્યાસન કહેવાય છે. આવી વૃત્તિના આવર્તન દ્વારા નિદિધ્યાસન થાય છે ત્યારે અને જે સ્થિતિ અનુભવાય છે તે જ “ નિતત્વતિય સ્થિતિ છે. અને તે જ “પમાનન્દવાસિની” પરમ આનંદ આપનારી કહેવાય છે. અને આવી સ્થિતિને જ અહીં ધ્યાન કહેવામાં આવે છે.
શન અને વિક્ષતિ” આ આનંદમય સ્થિતિ પછી નથી રહેતા શબ્દો, નથી રહેતું શબ્દોના અર્થનું ચિંતન....બચે છે...માત્ર આનંદ.. આનંદ!.આનંદ! માટે જ તે પમાનનવયિની સ્થિતિ છે.