________________
(૫૭) તેમાં બ્લોક ૧૨માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધ્યાનયોગ અંત:કરણની શુદ્ધિ અર્થે છે. “વિરયાને યુજ્યાત્મિવિલ” “ત) આસન ઉપર બેસીને અંત:કરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે.” આ જ શ્લોકની પ્રથમ પંક્તિમાં કહ્યું છે કે મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને રોકીને પછી અંત:કરણની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો. તેથી સ્પષ્ટ થાય છે કે ધ્યાન એક પ્રકારની શુદ્ધિ માટે છે. શુદ્ધિ એટલે શું?
શરીરની શુદ્ધિ તો સ્નાનાદિથી શક્ય છે. પણ ચિત્તની શુદ્ધિ કરતાં પૂર્વે તેની અશુદ્ધિ શેને લીધે છે તે જાણવું આવશ્યક છે. ચિત્ત શુદ્ધ સ્વરૂપે તો ચૈતન્ય જ છે. પણ તેમાં વિષયોની વાસના પ્રવેશી છે તેથી જ અશુદ્ધ છે. અને જે ચિત્ત કે મનની શુદ્ધિ કરવી હોય તો મનને વિષયરહિત કરવું જોઈએ. મનમાં જે વિષય જ નહીં રહે તો તેની વાસનાનો પ્રશ્ન જ રહેતો નથી. તેથી મનને વિષયરહિત કરવું તે જ મનને શુદ્ધ કરવું એ છે. અને તેવી શુદ્ધિ માટે જ ધ્યાન અનિવાર્ય છે. તેથી જ કહ્યું છે કે “થન નિર્વિષય મનઃ” મનમાં વિષયો જ ન આવે તે ધ્યાન છે. આ પ્રકારનું વેદાન્તનું ધ્યાન સમાધાનરૂપ ધ્યાન છે.
બીજી દષ્ટિએ વિચારીએ તો સ્પષ્ટ છે કે એકાત્માના ચિંતનથી મનનો નાશ થાય છે. “મારા શુદ્ધ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાંથી હોય?”
-શ્રી નથુરામ શર્મા આવી વાત ચિંતનથી વિવેક દ્વારા જો બુદ્ધિગમ્ય થઈ જાય તો સ્પષ્ટ થઈ જાય છે. મારા “સ્વ”સ્વરૂપમાં મન નથી તો... એકાગ્ર કરું કોને ?. મન નથી તો વૃત્તિ નથી.... વૃત્તિ જ નથી...તો નિરોધ કોનો? મન અને વૃત્તિ નથી તો... વિક્ષેપ ક્યાં? વિક્ષેપ નથી તો ધ્યાન ક્યાં?
આમ, જે દ્વિતીય પ્રકારનું ધ્યાન વેદાન્તામાં કહેવાય તે નિદિધ્યાસન પ્રકારનું છે જેમાં ન તો બેય વિષયની મહત્તા છે કે ન વૃત્તિની અગત્ય છે. પણ તે બન્નેના સાક્ષીની વિશેષતા છે. સૌના અધિષ્ઠાનની અનિવાર્યતા છે. આ નિદિધ્યાસન પ્રકારનું ધ્યાન એટલે જ વિજાતીય વૃતિઓનો તિરસ્કાર