________________
(૪૧૯):
નથી, કારણ કે તેની ષ્ટિમાં સંસાર ત્યજાઈ ચૂક્યો જ છે. તેથી ત્યાગનો સંઘર્ષ નથી; બધું બ્રહ્મ છે માટે પ્રાપ્તિની આકાંક્ષા કે અપેક્ષા જ નથી. તેના જીવનમાં ક્વતને પાછળ પાડી દેવાનો કે હાર આપવાનો પ્રયત્ન જ નથી. કારણ, પોતાની દષ્ટિથી જ તે ઝૂતને જીતી ચૂક્યો છે. આ જ ઈષ્ટિને શાનમથી દષ્ટિ કહે છે.
આવી સૂક્ષ્મ દૃષ્ટિના અભાવમાં સર્વવ્યાપ્ત પરબ્રહ્મ અદશ્ય રહે છે. પણ જેને સૂક્ષ્મ ષ્ટિ પ્રાપ્ત છે; તેને પોતામાં અને જે પોતાની અંદર છે, તે જ સર્વમાં છે તેવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. માટે કઠોપનિષદમાં કહ્યું છે કે “આત્મા સર્વ ભૂતોમાં રહેલો હોવા છતાં છુપાયેલો છે; પ્રત્યક્ષ થતો નથી. પણ કેવળ સૂક્ષ્મ તત્ત્વોને જોનારા પુરુષોથી જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જોઈ શકાય છે.”
"एषः सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते
દૃશ્યતે ત્વચા યુદ્ધયા સૂરમાં સૂક્ષ્મfમ: ” અભેદ દષ્ટિ જ શાનાથી દષ્ટિ છે
જેની દષ્ટિમાં ભેદ છે તેને જ વૈત ભાસે છે. ભેદ દષ્ટિવાળાને જ જીવ, જગત અને ઈશ્વર ત્રણે જુદાં ભાસે છે એટલું જ નહીં ત્રણે સાચાં છે તેવું પણ તેને લાગે છે. જે જીવ સાચો જ હોય તો જીવ, જીવ જ રહેવાનો. કદી બ્રહ્મ થઈ શકે જ નહીં અને મોક્ષ કે મુક્તિ સંભવે જ નહીં. જો જગતની સત્તા સત્ય છે અને પારમાર્થિક દષ્ટિએ પણ જગત સાચું જ છે તો શા માટે સ્વપ્ન કે સુષુમિમાં તે રહેતું નથી? અને જો સંસાર સત્ય છે તો પછી જ્ઞાન કાળે પણ તેની નાબૂદી ન થવી જોઈએ. અને “જ્ઞતે તત્ત્વ છે. સંસા:?” તે વાત ખોટી થઈ જાય; ઉપનિષદોમાં એકત્વનો જે સંદેશ છે તે સંદેશ અને ઉપનિષદો પોતે પણ અસત્ય થઈ જાય. આમ, છતાં જીવ ગત અને ઈશ્વર ત્રણેયને શાવિત સત્ય માનનારા લોકો છે. આમ જેની દષ્ટિમાં ભેદ હોય તેને અભેદનું દર્શન કદી થઈ શકે તેમ નથી. તે સમાજમાં એક્તાના પ્રયત્નને બદલે; ભેદ ઊભા કરી વિખવાદ અને વિતંડાવાદ તરફ જ લઈ જઈ શકે. એક, અતિ અભયાનંદ તરફ સમાજને પ્રેરી શકે નહીં.