________________
(૪૨૯)
કે પદાર્થાન્તર નથી. તેથી નથી કોઈ જ્ઞાતા અને શેય વચ્ચે ભેદ કે શેય અને જ્ઞાન વચ્ચે તફાવત. તેથી ત્રિપુટીનો લય થાય છે. તેવી જ રીતે
સ્વ” સ્વરૂપના સાક્ષાત્કારમાં શેય વસ્તુ આત્મા છે, જ્ઞાતા પણ આત્મા છે અને જ્ઞાનસ્વરૂપ પણ આત્મા જ છે. આત્મા જ, આત્માને, આત્મસ્વરૂપે જાણે છે અને તે અપરોક્ષ છે. આત્મજ્ઞાન કે સ્વરૂપની અનુભૂતિમાં કોઈ પણ પ્રકારની ત્રિપુટી સંભવી શકે નહીં. તેથી જ કહ્યું છે કે જે બ્રહ્મ કે આત્મામાં કટા, દશ્ય કે દષ્ટિ વિરામ પામે છે ત્યાં જ દષ્ટિ સ્થિર કરવી, “ર ના શ્રાવનોવિકની નહીં કે નાના અગ્ર ભાગ ઉપર. - તાત્પર્ય: સ્વપ્નની જેમ જાગ્રતનાં જ્ઞાન, શાતા અને શેય મિથ્યા
જે આત્માને પ્રત્યક્ષ કે પરોક્ષ માને છે તે જ તેને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે છે.
અજ્ઞાની આત્માને પોતાથી ભિન્ન માને છે. તેથી જ તેને પ્રાપ્ત કરવા અનેક ક્રિયાઓ કરે છે. અને ક્રિયા દ્વારા આત્માને જાણે કે પેદા કરવાનો હોય તેવો પ્રયત્ન કરે છે. પણ આવા અજ્ઞાની ભૂલે છે કે આત્મા તો પેદા થઈ શકે તેમ નથી. તે તો અજન્મા છે, અનાદિ અને અનંત છે. જો કોઈ કર્મઠ મોક્ષ કે મુક્તિ માટે પ્રયત્ન કે કર્મ કરે તો પણ તે નિરર્થક છે. કારણ કે આત્મા તો નિત્યમુકત જ છે. | મુક્તિ કે મોક્ષ દેશ અને કાળમાં, માનવપ્રયત્નથી પેદા થઈ શકે તેમ નથી. (લિબરેશન કેન નોટ બિ ક્રિએટેડ બાય હ્યુમન એક્ટર્સ ઇન ટાઈમ ઈન સ્પેસ)
જે કર્મની ભ્રાંતિમાં કોઈ તેને સુસંસ્કૃત કરવાનો કે પરિમાર્જનનો પ્રયત્ન કરે તો પણ મિથ્યા જ છે. આત્માની શુદ્ધિ શક્ય જ નથી. કારણ કે તેને કોઈ સંગ જ નથી. તે તો અસંગ જ છે. કર્મ દ્વારા એક વાસણનો મેલ દૂર કરી શકાય. મેલ દૂર કરવાથી કંઈ વાસણ પ્રાપ્ત થાય છે તેવું નથી. પણ આત્માના સંદર્ભમાં તો નથી આત્માને કોઈ મેલ કે અશુદ્ધિ: નથી આત્મા અપ્રાપ્ત કે તેની પ્રાપ્તિ માટે કર્મની જરૂર પડે. ક્યાં આત્માની પ્રાપ્તિ માટે લોકો અનેકવિધ પ્રવૃત્તિમાં પડ્યા છે. ક્રિયાનું અને કર્મનું ભૂત કે ઝોડ જેને વળગ્યું છે તે ક્રિયાના કારાવાસ કે કર્મના સકંજામાંથી પોતાને છોડાવી શકે તેમ નથી. તેવા અજ્ઞાનીઓ જે નિત્યપ્રાપ્ત છે તેની શોધમાં રાત અને દિવસ મંડયા જ રહે છે. તેવા પોતે પણ આંધળા છે અને આંધળાને દોરી રહ્યા છે. પોતે પડ્યા