________________
(૪૩૦) છે. અને છતાં ઊઠવાને બદલે બીજાને પણ કર્મમાં નાંખી-પાડી રહ્યા છે. તેથી જ બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે
कर्तव्य-दुष्ट-मार्तण्ड-ज्वालादग्धान्तरात्मनः।
कुत: प्रथमपीयूषधारासारमुखे सुखम्॥ | (ભાવાર્થ: “આ કરવું ન કરવું” એમ કર્તવ્યની પ્રચંડ માતડ જવાળામાં જેનું અંત:કરણ બળ્યા કરે છે તેને ઉપશમરૂપી ઝરણાનું ઝરતું અમરતારૂપી સુખ કેમ મળે?) અષ્ટાવક્સીતામાં પણ તેવો જ ભાવ છે જેનો ભાવાનુવાદ ભોલેબાબાએ ક્યોં છે.
કર્તવ્ય જલતી આગ હૈ સબકો જલાતી હે યહી. સૌ વૃક્ષ કેસે હો હરા; હો આગ જિસમેં લગ રહી કર્તવ્ય સે છુટ જાય સો; ઇસ ગસે બચ જાય હૈ.
પીયુષ-ધારા નિત પિયે, ભય શોક સબ જગ જાય છે ઊંઘમાંથી જાગવા કયો પ્રયત્ન જરૂરી?
કદી આપણે વિચાર્યું નથી કે ઊંઘમાંથી જાગવા આપણે શું કરીએ છીએ. કંઈ પણ કર્યા વિના જાગી શકાય? હા, જાગવા માટે આપણે કંઈ જ કરતાં નથી છતાં જાગી શકાય છે. તેવી જ રીતે અજ્ઞાનની નિદ્રામાંથી જાગવા પણ કોઈ યિા કે કર્મની જરૂર નથી અને છતાં જાગી શકાય તેમ છે.
જે “સ્વસ્વરૂપમાં જાગે છે તે તમામ ક્રિયાથી અને ભ્રમણાથી મુક્ત થાય છે. અને જે નથી જાગી શકતો તે પોતે પણ કર્મના કૂવામાં પડે છે અને બીજાને પાડે છે.
“કોઈ કહે શ્વાસા રોકો, કોઈ કહે સામું તાકો કોઇ કહે થોડું ભાખો; રાખો નાટકી હાટ' વાંચી વાંચી પંડિત મુઆ, ખોદી ખોદી મુવા યુવા બાપ એ તો પડવાના કૂવા, બુદ્ધિએ ચડ્યો છે કાટ.”
– રંગ અવધૂત આત્મજ્ઞાનમાં નથી કોઈ ક્રિયાનું બંધન, નથી કોઈ કર્મનો ભાર નથી ભૂતકાળનું સ્મરણ કે ભવિષ્યની ચિંતા. આત્મજ્ઞાનમાં તો સદા શાશ્વત વર્તમાન
આત્માજ્ઞાનમાં
(૧) જાણવા જેવું કંઈ જ નથી,