________________
(૪૩૬) પ્રાણાયામ એટલે શ્વાસોચ્છવાસની ગતિનો અવરોધ કરી પ્રાણને રોકવો તે પ્રાણાયામ છે.
યોગશાસ્ત્ર મુજબ પ્રાણાયામના મુખ્ય ત્રણ વિભાગ છે:
(૧) રેચક (૨) પૂરક (૩) કુંભક. (૧) રેચક પ્રાણાયામ: ઈડા નાડી અથતુ ડાબી નાસિકા, અગર પિંગળા નાડી અર્થાત્ જમણી નાસિકા વડે શરીરમાંના વાયુને ધીરે ધીરે બહાર કાઢવો તે રેચક પ્રાણાયામ કહેવાય છે. (૨) પૂરક પ્રાણાયામ: જમણી કે ડાબી નાસિકા વડે અગર પિંગળા કે ઈડા નાડી વડે, બહારના વાયુનું શરીરની અંદર આકર્ષણ કરવું તે પૂરક પ્રાણાયામ કહેવાય છે: (૩) કુંભક પ્રાણાયામ: શરીરમાં પૂરેલા વાયુને બહાર નહીં નીકળવા દેતાં, શરીરમાં જ નિરોધ કરવામાં આવે તે કુંભક પ્રાણાયામ કહેવાય છે.
કેવળ કુંભક પ્રાણાયામ: બહારના વાયુને બહાર અને અંદરના વાયુને અંદર રાખી તેનો ગ્રહણ અથવા ત્યાગ ન કરવો તે કેવળ કુંભક પ્રાણાયામ કહેવાય છે. અને પૂરક તથા રેચક દ્વારા જે કુંભક કરવામાં આવે છે તે સહિત કુંભક કહેવાય છે.
પ્રાણાયામનો સાધારણ કાળ ૧:૪:૨ના પ્રમાણમાં હોય છે. અર્થાતુ પૂરક સમયે એક, કુંભક સમયે ચાર અને રેચક સમયે બે. જે કોઈ મંત્ર વડે પ્રાણાયામ કરવા ઇચ્છે તો પૂરક સમયે ૧૬ મંત્ર, કુંભક સમયે ૬૪ મંત્ર અને રેચક સમયે ૩ર મંત્રનો જપ કરવો. અને જે તેવું ન થાય તો ૮:૩૨: અને ૧૬ એમ મંત્ર જપ કરવો. નવા સાધક માટે પ્રાણાયામનો પ્રકાર (૧) પ્રથમ ડાબી નાસિકા વડે વાયુને બહાર કાઢવો. (૨) બાદ જમણી નાસિકાને, જમણા હાથના અંગૂઠાથી દબાવી રાખી, ડાબી નાસિકાથી પૂરક કરવો. (૩) પૂરક કર્યા બાદ ડાબી નાસિકાને (ઈડાને) કનિષ્ઠિકા અને અનામિકા, એ બે આંગળી વડે દબાવી, શક્તિ મુજબ કુંભક કરવો. (૪) પછી જમણા હાથના અંગૂઠાને, જમણી નાસિકા પાસેથી ઉપાડી લઈ ધીરે ધીરે નિયમિત કાળમાં રેચક કરવો. (૫) ત્યાર બાદ જમણી નાસિકથી પૂરક કરવો અને જમણા હારને અંગૂઠા વડે દબાવી પૂર્વવત્ કુંભક કરવો. (૬) તત્પશ્ચાત કનિષ્ઠિકા અને અનામિકાને ડાબી નાસિકા આગળથી ઉપાડી