________________
(૪૩૯) વેદાન્તની દષ્ટિમાં પ્રાણાયામ
હદ્યોગ દ્વારા જે પ્રાણાયામ થાય છે તેમાં આસનસિદ્ધિ, મૂળબંધ, શરીરની સમતા, દષ્ટિની સ્થિરતા પછી જ પ્રાણાયામ થાય છે. જ્યારે વેદાનમાં તેવું નથી. | વેદાનમાં તો બ્રહ્મમાં સ્થિતિ તે જ સિદ્ધાસન છે, ગતના મૂળરૂપ બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા તે જ મૂળબંધ છે, અંગોનું બ્રહ્મમાં લીન થવું તે જ સાચી સમતા છે અને દૃષ્ટિને જ્ઞાનમયી બનાવવી તે જ દષ્ટિની સ્થિરતા છે.
પ્રાણાયામ બાબતમાં વેદાન્તની ખૂબ જ વિચક્ષણ દષ્ટિ છે. વેદાન્તમાં પ્રાણાયામ શરીરની ક્યિા સાથે સંબંધિત નથી. તેમાં યોગ જેવો કોઈ કમ નથી. યોગના પ્રાણાયામમાં તો શરીર અને ઉમરની યોગ્યતા પણ જરૂરી છે. જયારે વેદાન્તમાં તો વાત ખૂબ જ સરળ છે. જે લોકો હઠયોગનો પ્રાણાયામ ન કરી શકે તેમને માટે અહીં રાજયોગ દ્વારા પ્રાણાયામ કરવાનું વેદાન્ત સમજાવે છે.
વેદાન્તનો પ્રાણાયામ વાયુમાં નથી, વિચારમાં છે. વેદાન્તમાં પૂરક, કુંભક, રેચક ફેફસાંમાં નથી પણ મનમાં છે, વેદાન્તમાં એક જ વાયુમાં ભિન્ન ભિન્ન નામનું આરોપણ નથી. એક જ વાયુને રેચક, પૂરક, કુંભક વગેરે નામ આપવાં તે તો કલ્પિત ભેદ ઊભા કરવાની વાત છે જે યોગમાં છે. યોગમાં પ્રાણાયામથી રોગનાબૂદી થાય, નાડીની શુદ્ધિ થાય,“વિવિધ ધારણા કરવા અંત:કરણ યોગ્ય થાય છે” “ધારણા, ૨ યોગ્યતા મનસ:” | જરૂા. જયારે વેદાનના પ્રાણાયામથી આપોઆપ વૃત્તિઓનો નિરોધ થાય છે, પ્રપંચનો નિષેધ થાય છે.
હવે વેદાન્તમાં પ્રાણાયામનો જે અર્થ છે કે ત્રણ શ્લોકમાં સમજાવવામાં આવે છે.
चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात्।
निरोध: सर्ववृत्तिनां प्राणायाम: स उच्यते॥११८॥ નિકિ સમાવેષ ચિત્ત આદિ તમામ દશય પદાર્થોમાં દહાત્વેન વિ ભાવનાતક બ્રહ્મભાવના રાખવાથી સર્વ વૃત્તિના ય નિરોધ = સર્વ વૃત્તિઓનો જે નિરોધ થાય છે, સ: પ્રયા: ૩જો તે પ્રાણાયામ કહેવાય છે.
સર્વ વૃત્તિનાં : નિરોધ: સ: પ્રાણાયામ કચ= સર્વ વૃત્તિઓનો નિરોધ થાય તેને જ વેદાન્તમાં પ્રાણાયામ કહ્યો છે. શ્વાસન નિરોધ એ પ્રાણાયામ