________________
(૪૪૦)
નથી.
વૃત્તિઓનો વિરોધ કઈ રીતે થાય?
ચિત્તવિસર્વમાવેવુ વહનૈવ માવત' ચિત્ત આદિ તમામ દશ્ય પદાર્થોમાં અર્થાતુ અનાત્મ પદાર્થમાં બ્રહ્મભાવના કરવાથી ચિત્તની વૃત્તિઓનો નિરોધ થઈ શકે તેમ છે.
એવો વિચાર કરવો જોઈએ કે જે કંઈ દશ્ય છે, નામ છે, આકાર છે, શેય છે, સાધ્ય છે તે સર્વ બ્રહ્મમય જ છે. જો સર્વ કાંઈ બ્રહ્મસ્વરૂપ છે તો સર્વ એકરૂપ છે, અભેદ છે, ત્યાં નથી કોઈ નામ, નથી કોઈ આકાર. તેથી સર્વ કાંઈ અદશ્ય થઈ ગયું- તો પછી ક્યાં રહી પદાર્થાકાર વૃત્તિ? પદાર્થમાં બ્રહ્મભાવ કરવાથી આકાર રહેતો નથી. જો આકાર નથી, તો ત્યાં ઘટાકાર, મઠાકાર, પટાકાર વગેરે વૃત્તિ સંભવી શકે જ નહીં. પદાર્થ હોય તો પદાથકાર વૃત્તિ હોય. જયાં પદાર્થ જ નથી ત્યાં વૃત્તિ બચી શકે નહીં. અને નિરાકાર બ્રહ્મમાં વૃત્તિનો પ્રશ્ન જ રહેતો નથી.
પદાર્થાકાર વૃત્તિઓ જુએ છે કોણ? ચિતિ કે મન જ દ્રષ્ટા છે વૃત્તિનું. જે પદાર્થ જે આકારવાળો હોય તેવી જ ચિત્તની વૃત્તિ તૈયાર થાય છે. ઇન્દ્રિય દ્વારા મન પણ તે પદાર્થ સમીપ પહોંચે છે. અને તેનું પ્રત્યક્ષીકરણ કરે છે. તેથી જેટલા પદાર્થો તેટલા આકારની તેટલી વૃત્તિઓ અને જેટલી વધુ વિષયાકાર વૃત્તિ તેટલો મન કે ચિત્તમાં વધુ વિક્ષેપ.
યોગમાં પ્રાણાયામની ક્રિયા દ્વારા અને બીજી પણ યૌગિક ક્રિયા દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાનું કહેવામાં આવે છે, જયારે વેદાનમાં તો બ્રહ્મવિચાર અને બ્રહ્મભાવ દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે તે સમજાવવામાં આવ્યું છે.
જે મન જ વૃત્તિઓનો દ્રષ્ટા છે તો મનની જ બ્રહ્મ તરીકે ઉપાસના કરવી તેવું સૂચન પણ વેદાન્તામાં છે. તેનાં બે મુખ્ય કારણ છે.
(૧) “મન બ્રહ્મ છે. “મનોવ્ર રૂત્યુપાસી” (તૈત્તિરીય કૃતિ). તેવી ઉપાસના કરવાથી મનમાં ભેદવૃત્તિ સમાપ્ત થશે અને જે વિષયો કે પદાર્થોના ભેદ જ નથી તો મન ઈન્દ્રિયો દ્વારા વિહારે જ નહીં જાય, અને પદાર્થાકાર વૃત્તિ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જશે.
(૨) મન એક જ વાયુમાં અનેક ભેદ કહ્યું છે. જેવા કે પૂરક, રેચક, કુંભક-તેમ જ જગતમાં તેને ભેદ દશ્ય છે માટે જ વિવિધ વૃત્તિઓ છે. પણ મન જ બ્રહ્મ થઈ જાય તો વૃત્તિઓ શૂન્ય થઈ જાય. આમ