________________
(૪૪૪) રહે, પણ સુપુમિમાં પ્રપંચ રહેતો નથી તેથી પણ તે સત્ નથી. આમ વિચારતાં પણ દશ્યપ્રપંચની નાબૂદી કે નિષેધ થાય છે. અને આ નિષેધને જ રેચક પ્રાણાયામ કહ્યો છે. પ્રપંચનો નિષેધ એટલે કોનો નિષેધ?
=ઉપસર્ગ છે; પર્વ=જે પાંચ પાંચનું પંચક છે, g+Bળ્યું પ્રપંચ. પ્રપંચમાં અનેક પંચકનો સમાવેશ છે.
(૧) પાંચ ઈન્દ્રિયોના વિષય (૨) પાંચ જ્ઞાનેન્દ્રિય (૩) પાંચ કર્મેન્દ્રિય (૪) પાંચ મહાભૂત (૫) પાંચ પ્રાણ (૬) પાંચ તન્માત્રા
(૭) પાંચ ભેદ-(૧) વસ્તુ-વસ્તુનો ભેદ (૨) જીવ+જગતનો ભેદ (૩) જીવ+જીવનો ભેદ (૪) જીવ-ઈશ્વરનો ભેદ (૫) જગત+ઈશ્વરનો ભેદ.
આમ, જે સાત પ્રકારના પંચક છે તે સર્વનો ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા નિષેધ કરવો, ઈન્કાર કરવો કે સ્વરૂપમાં કોઈ પણ પંચક છે નહીં, તે જ દશ્યપ્રપંચનો નિષેધ છે.
આવા નિષેધ માટે ઋષિ અષ્ટાવક્ર જેવો વિવેક અને નચિકેતા જેવા પ્રબળ વૈરાગ્યની જરૂર છે. વિવેક અને વૈરાગ્યના સંદર્ભમાં જે ચિંતન થાય, આત્મવિચાર થાય, તો અનાયાસે જ જેમ સર્પ દ્વારા કાંચળીનો ત્યાગ થાય છે તેમ અધિષ્ઠાનમાં સ્થિત થતાં જ આરોપરૂપી પ્રપંચનો નિષેધ થઈ જાય છે. જેમ સ્વપ્નના નિષેધ માટે પ્રયત્ન જરૂરી નથી; તેમ બ્રહ્મભાવનાથી પ્રપંચનો નિષેધ થઈ જાય છે. અને તેવા જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાનરૂપી પ્રપંચ અદશ્ય થઈ જાય છે તેને જ રેચક પ્રાણાયામ કહે છે.
“વહેવાWીતિ યા વૃત્તિઃ પૂરો વાયુરીતિઃ” હું બ્રહ્મ છું એવી જે વૃત્તિ તે પૂરક પ્રાણાયામ છે. યોગમાં જેમ વાયુને અંદર લેવો તે પૂરક પ્રાણાયામ છે તેમ વેદાન્તમાં પૂરક પ્રાણાયામ એટલે “હું બ્રહ્મ છું” એવી અખંડાકાર કે બ્રહ્માકાર વૃત્તિથી ચિત્ત ભરી દેવું તે.
રેચક પ્રાણાયામ દ્વારા જે પ્રપંચનો નિષેધ થઈ ગયો હોય તો પછી બચે શું ? આરોપ ગયા બાદ રહે શું? નામ અને આકાર ગયા બાદ બચે શું? આદિ અને અંત ચાલ્યાં જાય તો બાકી રહે માત્ર અનાદિ