________________
(૪૩) કરવો તે જ છે. - પ્રપંચનો નિષેધ એ રેચક પ્રાણાયામ છે
निषेधनं प्रपञ्चस्य रेचकाख्य: समीरण: અહીં શાની માટે જે પ્રાણાયામ ભગવાન શંકરાચાર્ય સમજાવવા માગે છે તેના સંદર્ભમાં તેઓ કહે છે કે જેમ યોગમાં રેચક અથત અંદરના વાયુને બહાર કાઢવો તે છે, તેમ જ્ઞાનમાં, વેદાન્તમાં, પ્રપંચની ભ્રાંતિ મનમાં ભરેલી છે તેને બહાર કાઢી નાખવી તે જ પ્રાણાયામ છે.
પ્રપંચનો નિષેધ કઈ રીતે થાય?
તેની પ્રસિદ્ધ પદ્ધતિ છે નેતિ નેતિ' દ્વારા. અથતું જે અનાત્મા છે તે હું નથી. જે દશ્ય છે તે હું નથી, જે શેય છે તે હું નથી, જે ક્ષેત્ર છે તે હું નથી, સર અને અક્ષર પુરુષ હું નથી, કાર્ય ને કારણ હું નથી અને છતાં હું સર્વનો સાક્ષી છું. હું એ જ છું જે સૌના નિષેધ કરતાં શેષ છું; છતાં મારો નિષેધ થઈ શકે તેમ નથી. નેતિ નેતિ” એટલે વિચારવું કે
"मनोबुद्धयहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे॥ न च व्योमभूमिर्न तेजो न वायुः।
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम्॥ હું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, શ્રોત્ર, જિહવા, ઘાણ કે નેત્ર નથી. હું આકાશ, ભૂમિ, તેજ કે વાયુ પણ નથી. હું તો ચિદાનન્દસ્વરૂપ લ્યાણકારી શિવસ્વરૂપ છું.”
આમ, તમામ દશ્યપ્રપંચનો નિષેધ કરતાં કરતાં ‘સ્વ-સ્વરૂપ વિશે વિચારવું, તે રેચક પ્રાણાયામ છે.
નિષેધન પશ્વર્ય પ્રપંચનો નિષેધ તર્ક અને યુક્તિથી પણ શક્ય છે. એમ વિચારવું કે જે આદિમાં નહોતું, અન્તમાં રહેવાનું નથી, છતાં જે વર્તમાનમાં દશ્ય છે, તો પણ તે નથી જ. અર્થાત્ જેની ઉત્પત્તિ અને અંત છે; તે વર્તમાનમાં પ્રતીતિમાત્ર છે. વાસ્તવિક સત્ય નથી. જેમ પંચમહાભૂતથી બનેલ શરીર જન્મ પૂર્વે નહોતું; શરીરના મૃત્યુ પછી નહીં રહે, તેથી વર્તમાનમાં અનુભવગમ છે છતાં શરીર સત્ય નથી જ. તેવી જ રીતે સમગ્ર સંસારની ઉત્પત્તિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. અને તે મુજબ તમામ દશ્ય-પ્રપંચ સર્જન પૂર્વે નહોતો અને પ્રલય પછી નહીં રહે તેથી અનુભવગમ છે છતાં તે સતુ નથી. જે પ્રપંચ સત્ હોય તો ત્રણે કાળે