________________
(૪૬) યોગમાં જે યોગીની ઇન્દ્રિયો તેના ચિત્તને અનુસરે તેને જિતેન્દ્રિય કહેવાય છે, અને અજિતેન્દ્રિય પુરુષનું મન તેની ઇન્દ્રિયોને અનુસરે છે. તેથી બળવાન ઇન્દ્રિયો મનને વિષયાભિમુખ કરી વિક્ષેપ ઊભો કરે છે. યોગમાં ચિત્ત ધ્યેયવસ્તુ પ્રમાણે, ધ્યેયાકાર થવાનો પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્નમાં ઈન્દ્રિયો જે ચિત્તને અનુસરે તો તે પણ બેયાકાર થઈ શકે. ઈન્દ્રિયોની આવી અનુસરણીય સ્થિતિને જ યોગમાં પ્રત્યાહાર કહ્યો છે. યોગમાં કહ્યું છે, “પ્રત્યાહારની સિદ્ધિથી ઈન્દ્રિયોનો પરમ થ થાય છે.”
“તતઃ વિરયન્ડિયાના” પાતંજલદર્શન સાધનપાદ III વેદાન્તમાં પ્રત્યાહાર | વેદાન્તમાં ઈન્દ્રિય પર જ્ય મેળવવા પુરુષાર્થ થતો નથી, કે ન તો ઈન્દ્રિયોને તેના વિષયોથી પાછી વાળવારૂપી નિરોધ માટે શક્તિ વેડફાય છે. વેદાનમાં ઈન્દ્રિયોને બહિર્મુખી થતી અટકાવવાની કે અંતર્મુખી કરવાની વાત નથી. યોગ કહે છે કે વિષયથી પાછા વળો, જ્યારે વેદાન્ત કહે છે:
જ્યાં છો ત્યાં જ સ્થિર થઈ જાઓ અને ચિંતન કરો કે જે જે નામ અને આકાર છે, તે બ્રહ્મસ્વરૂપ જ છે. પદાર્થમાં પરમાત્મભાવ કરો, પછી પાછા વળવાની જરૂર નથી. પદાર્થ માત્ર પરમાત્મા છે. અને તેને પકડનારી ઈન્દ્રિય પણ પરમાત્મા છે પછી ક્યાં રહ્યો ઇન્દ્રિય ઉપરનો વિજય? નથી કોઈ જિતેલો ઇન્દ્ર કે નથી કોઈ હારેલો ઇન્દ્ર, જ્યાં ઇન્દ્ર જ નથી પછી ક્યાં રહી જીત કે હાર સર્વ કાંઈ બ્રહ્મમય જ છે. પછી તે ઈન્દ્રિય હોય, તેના વિષય હોય કે ઈન્દ્રિય દ્વારા વિષયોનો સમાગમ કરનારું મન હોય! | વેદાન્ત કહે છે કે ઈન્દ્રિયો જેને પકડે છે તે બ્રહ્મ છે. મન જેનો વિચાર કરે છે તે પણ બ્રહ્મ જ છે અને બુદ્ધિ જેનો નિર્ણય લે છે તે પણ બ્રહ્મસ્વરૂપ જ છે. તેથી મન, બુદ્ધિ કે ઇન્દ્રિયને જગતથી પાછાં વાળવાનો પ્રશ્ન જ નથી. તે જ્યાં જાય ત્યાં જવા દો, અંતે સર્વ નામ અને આકાર તે અનામી અને નિરાકાર પરબ્રહ્મનાં જ છે, તેવું વિચારો તો જ્યાં જ્યાં મન, તેની સાહેલી જેવી ઈન્દ્રિય સાથે જો ત્યાં જ સમાધિસ્થ થઈ જશે.
આમ, યોગ કહે છે ઈન્દ્રિયોને ગતથી પાછી બોલાવો અથત રિવર્સ ડ્રાઈવિંગ કરો, જ્યારે વેદાન્ત કહે છે. આગળપાછળ ક્યાંય દોડવાની જરૂર