________________
(૫૩)
ધારણાનો અધિકારી
ધારણા એકાગ્ર ચિત્તવાળાથી જ શક્ય બને છે. જેનું ચિત્ત ક્ષિપ્ત, મઢ કે વિક્ષિમ છે તેને ધારણાની સિદ્ધિ થતી નથી.
ધારણાનું ફળ
ધારણાના અભ્યાસથી ધ્યાનમાં યોગ્યતા આવે છે અને જુદા જુદા ધ્યેયમાં ધારણા કરવાથી જુદાં જુદાં ફળ મળે છે. વેદાન્તમાં ધારાણા
જે દેશમાં ધારણા કરવાની વાત યોગમાં છે તે વેદાન્તમાં નથી. વેદાનની દષ્ટિમાં તો દેશ જ એક કલ્પના, મિઠ છે. દેશ સાપેક્ષ છે, દેશ મનનો ખ્યાલ છે, “કૉન્સેપ્ટ છે મનનો, જે મન જ અસ્તિત્વમાં નથી. આમ જોતાં દેશની જે વાત યોગમાં છે તે દેશનું અધિષ્ઠાન છે તે જ બ્રહ્મ છે અને તે જ સત્ય છે. બાકી દેશ, કાળ, વસ્તુ તો આરોપિત છે. અને આરોપ પર ધારણા કરવાની વાત વેદાનમાં નથી. બ્રહ્મ ક્યાં નથી? તે તો સર્વ દેશમાં છે. જયાં જયાં મન પહોંચી શકે ત્યાં ત્યાં બ્રહ્મ છે. અને જ્યાં મનની પહોંચ નથી ત્યાં પણ બ્રહ્મથી અતિરિક્ત કંઈ જ નથી. તેથી જ્યાં મન જાય અને બ્રાહ્મદર્શન કરી શકે, જ્યાં તે સ્થિત થઈ શકે તેવી મનની સ્થિરતા જ શ્રેષ્ઠ ધારણા છે. આમ જોતાં વેદાન્તની ધારણા કોઈ વિશિષ્ટ સ્થળે નથી. તેનો કોઈ ખાસ દેશ કે વસ્તુ નથી, તેથી જ અહીં ધારણાને નવા રષ્ટિકોણ સાથે સમજાવી
यत्र यत्र मनो याति ब्रह्मणस्तत्र दर्शनात् । मनसो धारणं चैव धारणा सा परा मता॥१२२॥ ર... અને યત્ર યત્ર મન: યતિ તત્ર તત્ર જયાં જયાં મન જાય ત્યાં ત્યાં બ્રહ્મા: નાતબ્રહ્મનાં દર્શન કરવાથી મનસ: ચતું ગાળમુમનની જે સ્થિરતા (છે) કે મનનું ધારણ થવું) સા પ્રવ ઘારણ અ મતાજો જ ધારણા શ્રેષ્ઠ માનેલી છે.