________________
(૪૩૪) :
મોક્ષ, મુક્તિ, શાંતિ, સુખ અને જ્ઞાન માટે જીવનભર પ્રયત્ન કર્યો, તે મોક્ષ ઉત્પન્ન કરી શકાય તેમ નથી, સુખ અને શાન્તિ બહારથી આવી શકે તેમ નથી, કારણ કે હું શાન્તસ્વરૂપ છું, આનંદઘન છું અને જ્ઞાનસ્વરૂપ
તેવું આત્મજ્ઞાન થતાં સમજાયું. અને તેથી જ હવે...
ન રહી પ્રાપ્તિ જ્ઞાનની
હું જ્ઞાનસ્વરૂપ છું માટે ન બચી અપેક્ષા શાન્તિની
હું શાંતસ્વરૂપ છું માટે. નથી ભ્રમણા મુક્તિની
હું નિત્ય મુક્ત છું માટે શેષ નથી પ્રતિક્ષા સુખની
હું સુખ અને આનંદસ્વરૂપ છું માટે આમ જોતાં આત્મજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની રહેતી જ નથી. આત્મા તો નિત્ય પ્રાપ્ત જ છે. તેથી તે તો સદા સર્વદા પ્રાપ્ત છે, હતો, અને રહેશે.
“આત્મા સદા હી પ્રાપ્ત હૈ, નહીં દૂર હૈ નહીં પાસ હૈ
નહીં આત્મ પાને કે લિયે, કરના પડે આયાસ હૈ” નિષ્કર્ષ આત્મજ્ઞાનમાં
– જાણવાનું કંઈ જ નથી –
– કર્તવ્ય પણ કંઈ જ નથી - ત્યાગ કરવાનું પણ કંઈ નથી
– પ્રાપ્ત કરવાનું પણ કંઈ નથી માટે જ કહ્યું કે જ્ઞાનમયી દષ્ટિ..
“સા દૃષ્ટિ. મોત',
‘તે દષ્ટિ પરમ ઉદાર છે' માટે સૌ સાધક કે મુમુક્ષુએ....
“દષ્ટિ જ્ઞાનમય કૃત્વા”
જ્ઞાનમયી દષ્ટિ બનાવવી. ... ... ... કે જયાં