________________
(૪૩૨)
“અશેય નથી; હોયે જ્ઞાનપરો એ,
સૌ જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાન અજ્ઞાનનું એ” કેનોપનિષદે તો કહ્યું છે કે આત્મજ્ઞાની સદા મુક્ત જ છે.
જે શ્રોત્રના શ્રોત્રરૂપે, મનના મનરૂપે, વાણીની વાણીરૂપે, તથા ચક્ષુના ચક્રુરૂપે (આત્માને જાણીને, જ્ઞાનીએ અહમભાવનો ત્યાગ કર્યો છે તેઓ આ લોકમાંથી મુક્ત થયા છે. અને અમૃતરૂપ = અમરતા ધારણ કરે છે.”
"श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राण:।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लीकादमृता भवन्ति। આત્માનો શાતા આત્માથી ભિન્ન રહેતો નથી અને સદાય મુક્ત જ થઈ જાય છે.
જે જાનના થા જાનકર; સ્વસ્વરૂપમેં સંયુક્ત હૈ.
ભોલા નહીં સદેહ; સો ઈચ્છા બિના હી મુક્ત હૈ” (૨) આત્મજ્ઞાનમાં કર્તવ્ય પણ કંઈ જ નથી
આત્મજ્ઞાનમાં હું આનંદસ્વરૂપ છું. પછી શું ભોગવવા હું કર્મ કરું? આત્મજ્ઞાનમાં નથી કોઈ વાસના કે સ્પૃહા “મારામાર્ચ | પૃહી?” તો પછી કર્મ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આત્મજ્ઞાનમાં જ્ઞાની આતકામ છે; અકામ છે; નિષ્કામ છે; આત્મકામ છે. પછી શા માટે કર્મ કરે? કર્મ કે ક્રિયાથી આત્મા મળતો નથી, અને પ્રારબ્ધ જ શરીરનું પોષણ કરે છે, તેવો નિષ્કર્ષ છે જ્ઞાનીનો. પછી ક્યાં છે કર્મનો ભાર કે કિયાની ચિંતા?
“સર્વ વણિતં પાર્થ જ્ઞાને પરિક્ષમા” (ગીતા અધ્યાય-૪-૩૩)
આત્માજ્ઞાનમાં તમામ કર્મો સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. પછી શા માટે જ્ઞાની કર્તવ્ય કે અકર્તવ્યની જવાળામાં તપ્ત થાય?
તાત્પર્ય એ જ છે કે આત્મજ્ઞાનમાં કોઈ પણ કર્તવ્ય કર્મ કરવાનું - રહેતું નથી. ભગવદ્ગીતામાં પણ અધ્યાય ત્રીજાના ૧૭મા શ્લોકમાં એવો જ નિર્દેશ છે.
आत्मन्येव च संतुष्टस्तस्य कार्य न विद्यते॥३-१७॥ (જે) આત્મજ્ઞાનમાં કે આત્મામાં જ સંતોષ પામેલો
હોય તેને કંઈ પણ (કમ) કરવાનું રહેતું નથી.” આવા આત્મશને પોતાની જ્ઞાનનિષ્ઠા દ્વારા દઢ નિશ્ચય હોય છે કે