________________
(૪૨૭) “જ્યાં જે બ્રહ્મમાં કણા, દષ્ટિ અને દશ્યનો લય થઈ જાય છે ત્યાં જ ઈષ્ટ કરવી.”
દષ્ટિ ક્યાં સ્થિર કરવી?
પોતાના સ્વરૂપમાં જ્યાં દ્રષ્ટા, દશ્ય અને ઈષ્ટ વિરામ પામે અર્થાત બાધિત થઈ જાય તે પદાર્થ પ્રત્યક્ષ કે પરોક્ષ હોય, ત્યાં દ્રષ્ટા અને દૃશ્ય જુદાં હોય છે. તેમની વચ્ચે દેશ અને કાળનું અંતર હોય છે. અને ત્યાં જ કટા, દૃશ્ય, દષ્ટિ; પ્રમાતા, પ્રમા અને પ્રમેય; ધ્યાતા, ધ્યાન અને ધ્યેય; ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય; ભોગ્ય પદાર્થ, ભોગ અને ભોક્તા; શેય, જ્ઞાતા અને જ્ઞાન તેવી ત્રિપુટી હોય છે. પણ આત્મા નથી પ્રત્યક્ષ કે પરોક્ષ. તેથી આત્મા કે સ્વરૂપમાં જ આવી ત્રિપુટીનો અંત છે, વિરામ છે, લય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ વસ્તુ કે પદાર્થમાં જ દેશ અને કાળનું અંતર હોય છે.
“સ્વ'સ્વરૂપ કે આત્મા તો અપરોક્ષ છે. તેથી સ્વરૂપમાં જ્ઞાન, જ્ઞાતા અને શેય જેવી ત્રિપુટીનો સંભવ જ નથી. જે આત્મા દશ્ય હોય તો તેના દ્રષ્ટા અને આત્મા વચ્ચે દેશનું અંતર છે તેમ કહી શકાય.
જો આત્મા જોય છે અને હું જ્ઞાતા છું તો અર્થ એવો થયો કે વર્તમાનમાં આત્માને હું જાણતો નથી પણ ભવિષ્યમાં જાણીશ. આ ય અને જ્ઞાતા વચ્ચે કાળનું અંતર કહેવાય. પણ આત્મા તો દેશકાળથી મુક્ત છે, અપરિચ્છિન્ન છે. તેથી જોય અને જ્ઞાતા કે દશ્ય અને કટાનો ભેદ સંભવી શકે તેમ નથી.
હું આ સમયે, અત્યારે જન્મ આ જ સ્થળે, અહીં જ, આત્મસ્વરૂપ છું. તો પછી મારે મને મળવા, દેશ અને કાળમાં .. પ્રયત્ન કેવો? .... દા. ત. હું દરવાજા સામે ઊભો છું. દરવાજો બંધ છે. મેં ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો “કોણ છો?” મેં ન કોઈને કન્સલ્ટ ક્ય, ન કોઈને પૂછયું!