________________
(૨૬)
આજે જ, આ પળે, અને અહીં જ છે.... આત્મા તો મુજથી અભિન્ન છે.... તો આત્માને પ્રાપ્ત કરવા કહ્યું કર્મ કરશો? જે આત્મા કે બ્રહ્મ પ્રાપ્ત જ છે અને છતાં.... જો કોઈ પ્રયત્ન કરશે. તો દુ:ખ માત્રને નોંતરશે.
BHચ yr નો પ્રયત્ન જ બંધન છે. જે આત્મપ્રાપ્તિ માટે સમાધિરૂપી ક્યિા થશે તો તે • મહાન બંધન ઊભું કરશે....
માટે જ અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે કે “अयमेव हि ते बन्ध: समाधिमनुतिष्ठसि"
તેથી પ્રાપ્તિનો પ્રશ્ન ભ્રમણાત્મક છે. માત્ર જ્ઞાન દ્વારા જાણવાની જરૂર છે કે જગતનું અધિષ્ઠાન બ્રહ્મ અને હું અભિન્ન છીએ. આવા જ્ઞાનથી જ સમજાય છે કે હું સર્વનું અધિષ્ઠાન છું. તેથી...
હું સમાધિ-સ્વરૂપ છું. મારા સ્વરૂપમાં હું સમાધિસ્થ જ છું.
આવવાવાળી અને જવાવાળી, લાગીને છૂટી જનારી સમાધિ હું નથી કે નથી તે મારી. આવા સ્વરૂપના જ્ઞાનમાં નથી સમાધિનો પ્રયત્ન કે સમાધિની ઇચ્છા. જેઓ ખૂબ જ આતુર છે સમાધિ લગાડવા, તેઓ તેવા પ્રયત્નથી વધુ બેચેન બને છે. અને સતત વિક્ષેપ અને ચાંચલ્યનો જ અનુભવ કરે છે. અને અંતે સમાધિનો પ્રયત્ન જ તેમને બંધનકર્તા લાગે છે. તે બાબતના ખ્યાલમાં અને સંદર્ભમાં જ કહયું છે કે ઈષ્ટિને જ્ઞાનમથી બનાવી અહીં અને અત્યારે જ સ્વ” સ્વરૂપનો અનુભવ કરવો ઉચિત છે. અને તેવી દષ્ટિથી જગત પણ બ્રહ્મરૂપ જણાશે, જેથી ઝૂતમાંથી મન અને ઈન્દ્રિયોને પાછાં વાળવાનો પ્રયત્ન સમાપ્ત થશે. અને જે પ્રાપ્ત જ છે તેની વિના પ્રયત્ન જ્ઞાન દ્વારા પ્રાપ્તિ થશે, અર્થાત્ હું અને જે કંઈ છે તે સર્વ બ્રહ્મ છે, અને બ્રહ્મ જ સર્વ કંઈ છે તેમ અનુભવાશે.
दृष्टदर्शनदृश्यानां विरामो यत्र वा भवेत्। दृष्टिस्तत्रैव कर्तव्या।"