________________
(૨૪)
કુટુંબ છે અને આપણે સૌ એક જ કુટુંબનાં સભ્યો છીએ.
જ્યારે વેદાંતની ઉદાર દષ્ટિમાં તો એવું કહ્યું છે કે હું એ જ તુ' છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પોતાનું જ સ્વરૂપ દેખાવું જોઈએ. અને જે હું સર્વ સ્થળે સર્વમાં મને જ જોઈ શકું તો હું કેવી રીતે કોઈનું અપમાન કરી શકું? ત્યાં બીજો છે જ નહીં. હું કઈ રીતે મારા પર કોધિત થઈ શકું? જ્યાં બીજામાં પણ હું જ છું ત્યાં કઈ રીતે હું મારું જ હનન કરી શકું? આત્મભાવમાં નથી સ્વમાન કે નથી અપમાન, નથી સ્વીકાર કે ત્યાગ, નથી નિંદા કે સ્તુતિ, નથી સત્કાર કે તિરસ્કાર, નથી ગુનો કે ક્ષમા, નથી બચાવ કે હિંસા, કારણ કે મારાથી ભિન્ન કંઈ જ નથી. માટે જ આવી ષ્ટિને ઉદાર દષ્ટિ કહેવામાં આવે છે.
આવી જ ઉદાર દષ્ટિને ભગવદ્ગીતા આત્માની ઉપમાથી જેવાવાળી ઈષ્ટ કહે છે. અર્થાત્ બીજાના સુખ-દુ:ખમાં, વિજ્ય-હારમાં, વ્યક્તિ જ્યારે પોતાની ઉપમાથી જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે ન તો તે બીજાને દુ:ખી કરી શકે છે કે પરાજિત કરી શકે છે. કેમ કે તેમ કરવામાં પોતાનો જ પરાજય અને પોતાને જ પીડા પહોંચાડવા જેવું છે. તેથી અધ્યાય છના શ્લોક ૩૨માં એવું કહ્યું છે કે
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः॥६/३२॥ હે અર્જુન! જે યોગી સર્વ ભૂતોમાં સુખ અથવા દુ:ખને પણ પોતાની ઉપમાથી-અર્થાતુ પોતાના પ્રાંતથી સમાન જુએ છે; તે યોગી પરમ શ્રેષ્ઠ
માનેલો છે.”
આ જ છે સાચી ઉદાર દષ્ટિ, જેમાં દરેકે દરેક નામ અને આકારમાં પોતાને જ જોવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેથી જ આવી જ્ઞાનમથી ટિને ઉદાર દષ્ટિ કહેવાય છે. સ્થળ દષ્ટિની સ્થિરતા કેવી રીતે જન્મી?
કર્મની ભ્રાંતિમાંથી દષ્ટિને સ્થિર કરવાની વાત આવી છે. મોટા ભાગે આપણા સંસ્કારો જ એવા છે કે કંઈ પણ કાર્ય કે કર્મ વિના કંઈ જ પ્રાપ્ત થઈ શકે નહીં. જ્યાં જુઓ ત્યાં કર્મ, કર્મ અને કર્મ વસ્તુના સ્વીકારમાં કર્મ અને ત્યાગ કરવામાં પણ જાગૃતિમાં મન, વાણી, ઈન્દ્રિયોનું કર્મ અને સ્વપ્નમાં પણ મનનું પ્રક્ષેપણ= (પ્રોજેકશન) રૂપી કર્મ. શરીર કાર્ય ન કરે તો મને સંકલ્પવિકલ્પ કરે, બુદ્ધિ નવા નિર્ણય લે અર્થાત્