________________
(૨૨) છે. નાકના અગ્રભાગનું અવલોકન કરનારી દષ્ટિ નહીં.
સા દિ. પરમલ” “ તે દષ્ટિ પરમ ઉદાર મનાય છે.” પરમ અને ઉદાર દષ્ટિ એટલે શું? જે દષ્ટિમાં નામ અને આકારનો ભેદ નથી, પણ જેમાં માત્ર અતિ પતિ અને પ્રિય જ દેખાય છે અથતિ સત્ ચિત્ અને માનં જ દેખાય છે, જે દષ્ટિમાં હું અને તું ના ભેદ સમાપ્ત થયેલા છે પણ હું તે જ તું અને હું તે જ હું છું અર્થાત્ સર્વમાં અહમુબુદ્ધિ જ દેખાય છે તેને પરમ ઉદાર દષ્ટિ કહેવાય છે. આથી શ્રી રંગઅવધૂત કહે છે –
“ભુલાવી હું-મારું, હું તારામાં ડુબાડી
તું-તારામાં ભેદ ન દેખું એવો દિ દેખાડ!” જે દષ્ટિ દ્વારા રૂપાંતર પામતા સર્વ પદાર્થો કે પ્રાણીઓમાં અરૂપાંતર રહેનાર જે તત્ત્વ દેખાય છે, અર્થાત્ સર્વ પરિવર્તિત થતા નામ અને આકારમાં અપરિવર્તનશીલ આત્મા જ દેખાય છે તે દષ્ટિ જ પરમ ઉદાર
કમાલની પરમ ઉદાર દષ્ટિ
એવું કહેવાય છે કે એક વાર સંત કબીર વિસ્મય પામીને એક સ્થળે ઊભા રહી જાય છે. તેમની આંખો ભીની થાય છે. હૃદયમાં કરુણા જાગે છે. તેઓએ ઘંટીના બે પડની વચ્ચે પિસાતા અનાજના દાણા જોયા; અને શોકમગ્ન બન્યા. તેમને લાગ્યું કે
“અરેરે! કાળનાં આ બે પડની ભીંસમાં આવીને કોઈ જ સહીસલામત નીકળ્યો નથી.”
દુઈ પટ ભીતર આઈ કે સાબૂત બચા ન કોઈ.” એવું વિચારતાં તેઓ જ લખે છે કે પોતે રોઈ ગયા.
“ચલતી ચક્કી દેખિકે દિયા કબીરા રોય.” ત્યાં અચાનક સંત કબીરના પુત્ર કમાલ ત્યાંથી નીકળે છે. પણ પિતાજીને ઉદાસ જોઈને કમાલને નવાઈ લાગી. કમાલે પિતાજીને પ્રશ્ન પૂછીને જાણી લીધું કે પિતાજી કેમ ઉદાસ છે અને પછી કમાલ સંત કબીરને કહે છે કે એમાં શોક કરવાની ક્યાં જરૂર છે? તમે તો બે ઘંટીના પડને ફરતાં જુઓ છો માટે જ શોક અનુભવો છો પણ જે કોઈ બે પડની વચ્ચે જે અફર ખીલો છે તેને જુએ છે તે દી નિરાશ થતો નથી. તેમ પરિવર્તન પામતા સંસારને જવાને બદલે; જેના આધારે પરિવર્તન