________________
(૪૨૩)
થાય છે તે અપરિવર્તનશીલ પરમાત્માને જોવાથી આપ કદી શોક નહીં અનુભવો. જે અનાજના દાણાએ પેલા અફર ખીલાનો આધાર લીધો છે, તે કદી પિસાતો નથી, તે વાતને આપ શા માટે ભૂલી જાઓ છો? આ જ રીતે પરમાત્માને જ જોવાની; અને તેના શરણમાં જ સર્વસ્વ સમર્પણ કરવાની દષ્ટિ હશે, તો કાળચકો ફરશે છતાં આપણે અફર રહેવાના. તમામ પરિવર્તનના આપણે સાક્ષી રહી શકીએ જે કમાલ જેવી અપરિવર્તનશીલ આત્માને જોવા દષ્ટિ પ્રાપ્ત થાય તો!
આમ, જે વિનાશીમાં અવિનાશીને, વ્યક્તિમાં અવ્યક્તને, સાકારમાં નિરાકારને, દૃશ્યમાં અદશ્યને અને પરિવર્તનમાં અપરિવર્તનશીલ આત્માને કમાલની જેમ જોઈ શકે છે તેને જ ઉદાર દષ્ટિ કહેવાય છે. બાકી તો પરિવર્તનને જોઈ શોકમગ્ન કરનારી ઈષ્ટ છે.
આવી અભેદ દષ્ટિ, અદ્વૈત દષ્ટિ, સૂક્ષ્મ દષ્ટિ, જ્ઞાનમથી દષ્ટિ કે પરમ ઉદાર દષ્ટિ કંઈ દરેકને પ્રાપ્ત થતી નથી. મોટાભાગે તો ભેદદષ્ટિવાળા જ લોકો સમાજમાં ઘેટાં-બકરાંનાં ટોળાંની જેમ હરતાં-ફરતાં દેખાય છે. જેમ જંગલમાં અનેક વૃક્ષોનાં ઝુંડ હોય અજ્ઞાનીઓના સમૂહો જ જોવા મળે છે, તેમાં કોઈક જ ચંદનનું વૃક્ષ હોય. ભેદદષ્ટિવાળા ભયભીત લોકોના ટોળામાં કોઈ જવલ્લે જ શૂરવીર મળે છે અને દરિયામાં ક્યારેક જ મોતી મળે છે. તેમ સૂક્ષ્મ અને પરમ ઉદાર દષ્ટિવાળા, કમાલની જેમ જીવનમાં કમાલ કરનારા ભાગ્યે જ મળે છે. જેમ કબીર કહે છે કે આત્મતત્વને જેનારા સાધુઓ બધે જ મળતા નથી, પણ ભાગ્યે જ જોવા મળે છે.
“સબ બન તો ચંદન નહીં, સૂરા કા દલ નાહિં,
સબ સમુદ્ર મોતી નહીં સાધુ જગ માંહિ,” અભેદદશ, આત્મદશ કે જ્ઞાનમયી ષ્ટિવાળા સંતજનો જે બહુમતીમાં ન દેખાય તો મૂંઝાશો નહીં! મેજોરિટી હમેશાં મૂખની જ હોય છે. અભેદદશ કે બ્રહ્મદશ જ્ઞાનીઓ ટોળામાં ફરતા નથી. વાડાબંધીમાં જીવતા નથી. સિંહના ટોળાં ન હોય અને હંસોની પંક્તિઓ હોતી નથી. ઉદાર દષ્ટિ એટલે શું?
પાશ્ચાત્ય mતમાં તો એવી વાતો થાય છે કે જગતના સૌ પુરુષો આપણા જ ભાઈઓ છે. સૌ સ્ત્રીઓ આપાણી બહેનો છે. કારણ કે આપણે સૌ ઈશ્વરનાં સંતાનો છીએ. અને પરમાત્મા જ આપણો પિતા
છે.
આ સિવાય દીર્ધદષ્ટિથી એમ પણ કહેવાયું કે સમગ્ર વિશ્વ એક