________________
(૪૨૦) અભેદ દષ્ટિમાં તો આત્મા કે પરબ્રહ્મ સિવાય બીજું કંઈ જ જોઈ શકાય નહીં. નામ અને આકારના ભેદ તેવી દષ્ટિમાં નથી. પણ જે પરબ્રહ્મ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી મુક્ત છે; દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે; જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, વગેરે ભેદભાવથી ભિન્ન છે તે પરબ્રહ્મનાં જ દર્શન અભેદદશીને થાય છે. અને તેથી જ નામ અને રૂપવાળા ક્વતને પણ તે બ્રહ્મરૂપ જ જોવાનો પ્રયત્ન કરે છે. આવા અભેદદશીને, વ્યક્તિમાં ઊંચનીચ દેખાવાનો પ્રશ્ન જ ઊઠતો નથી અને તેથી જ આદિ શંકરાચાર્યજીએ ચાંડાલ અથવા હરિજનને પણ પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે.
जाग्रत्स्वप्नसुषुप्तिषु स्फुटतरा या संविदुज्जूभते या ब्रह्मादिपिपीलिकान्ततनुषु प्रोता जगत्साक्षिणी।
सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्तिचेत्
चांडालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम॥१॥ “જાગ્રત, સ્વપ્ન અને સુષુમિમાં સ્પષ્ટ રૂપે જે જ્ઞાન પ્રકાશે છે, જે બ્રહ્માથી માંડીને કીડીનાં શરીરમાં પરોવાયેલું છે અને જે જગતનું સાક્ષી છે તે જ હું છું. દશ્ય વસ્તુ હું નથી. આવી દઢ સમજણ જેનામાં હોય, તો તે ચાંડાલ અર્થાત્ હરિજન હોય કે બ્રાહ્મણ હોય, પણ એ જ મારો ગુર છે તેવી મારી મતિ છે” આમ, અભેદ દષ્ટિ એટલે જ જ્ઞાનમયી દષ્ટિ. કારણ કે જ્ઞાનમયી દષ્ટિમાં બધું જ્ઞાનમય જ દેખાય અને આત્મા કે બ્રહ્મ તો જ્ઞાનસ્વરૂપ જ છે. “સત્યં જ્ઞાનં અનન્ત બ્રહ્મ તેથી જેની પાસે અભેદ દષ્ટિ છે તેને જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ જ દેખાય છે. તેથી અતિરિક્ત અનાત્મ દર્શન થતું નથી તેથી જ અભેદ દષ્ટિને જ્ઞાનમયી દષ્ટિ કહેવાય છે. આથી સૂક્ષ્મ દષ્ટિ કે અભેદ દષ્ટિને બ્રહ્મદષ્ટિ પણ કહેવાય છે. ઉપનિષદોએ તો એવું પણ કહ્યું છે કે અભેદ દષ્ટિનો ત્યાગ કરી જે ભેદદષ્ટિ અપનાવી ભેદર્શન કરે છે તેઓ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં જ પડે છે અર્થાત જન્મ-મૃત્યુના ચક્રને જ પ્રાપ્ત કરે છે.
કૃત્યો જ મૃત્યુ પછતિ દ નેવ પશ્યતિ (કશ્રુતિ) 'नेह नानास्ति किञ्चन" “મૃત્યઃ સ મૃત્યુના નોતિ વાદ નાનેવ પરણ્યત્તિ” (બૃહદારણ્યક કૃતિ)