________________
(૪૧૮).
અજ્ઞાનમય દષ્ટિનું
વ્યક્તિ ને પોતાની ટિને જ્ઞાનમયી બનાવી શકશે, અર્થાત્ બધામાં એકતા જોઈ શકશે, પ્રાણી, પદાર્થ અને જીવમાત્રમાં જો આત્માના જ દર્શન કરી શકશે તો તેને પોતાથી ભિન્ન કંઈ જ દેખાશે નહીં, સર્વ આત્મસ્વરૂપ જ જણાશે. જડ અને ચેતન સર્વમાં અધિષ્ઠાન બ્રહ્મ જ જણાશે, અને મિથ્થા સંસારને, પ્રતીતિમાત્રને, અધ્યાસ કે આરોપને અને સમગ્ર સંસાર કે દશ્યપ્રપંચને જ્યારે તે જ્ઞાનમયી દષ્ટિ દ્વારા બ્રહ્મસ્વરૂપે જ જોશે ત્યારે તેવા એક્વનાં દર્શનમાં નહીં હોય શોક કે નહીં હોય મોહ! “તત્ર વો મોડ : શો ત્વનુપરતઃ” (ઈશોપનિષદ)
આ જ ઈષ્ટ કે જેમાં શોક અને મોહ નથી અને જેનાથી માત્ર ઐક્યનું જ દર્શન થાય છે, તે જ્ઞાનમયી દષ્ટિ છે. ઐક્યનાં દર્શનમાં નથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી; તેથી નથી ત્યાં રાગ કે પ્રાપ્તિનો પ્રયન, તેથી જ નથી ત્યાં નિરાશા કે નિષ્ફળતા.ત્યાં તો પૂર્ણતા છે પોતાના જ સ્વરૂપમાં અને બહારની કોઈ પણ પ્રાપ્તિ વિના પોતે પૂર્ણ છે, પોતામાં, પોતા દ્વારા. આવી સમજમાં ઈષ્ટ સ્થિર છે પોતાના સ્વરૂપમાં અને તે જ સાચી સ્થિરતા છે દષ્ટિની કે જ્યાં દષ્ટિ છે માત્ર અધિષ્ઠાનમાં..નહીં કે નાકના અગ્રભાગમાં! સૂમ દષ્ટિ જ શાનમથી દષ્ટિ છે
સૂક્ષ્મ દષ્ટિ અથતું નામ અને આકારને બાદ કરીને દરેક નામી અને સાકારમાં, અનામી અને નિરાકારનાં દર્શન કરવા ટેવાયેલી દષ્ટિ. સૂક્ષ્મ દષ્ટિ એટલે જ રૂપરંગને ત્યાગી તેના આધારને પકડનારી દષ્ટિ. જે ઘાટ અને ઘરેણાને જુએ છે તે છેતરાઈ શકે છે; પણ જેની દષ્ટિમાં માત્ર સોનું જ છે તેને ઠગવાનો કોઈ રસ્તો જ નથી. આમ જે વ્યક્તિ કાયન છોડી માત્ર કારણને જ જુએ છે, તેની દષ્ટિમાં પદાર્થ નહીં પણ સતત પરમાત્મા જ દેખાય છે, તેને નામ અને આકારવાળું જગત નહીં, પણ જે સર્વ નામ અને આકારમાં અદશ્ય તત્ત્વ છે; જે દરેક નામ અને આકારનો આધાર છે, “અધિષ્ઠાન' છે; કારણ છે; તેનાં જ દર્શન થાય છે. આવી સૂક્ષ્મ દષ્ટિવાળો તે જ્વતથી નાસતો નથી. જગતને ત્યજતો